ભારત પોતાનું મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને લોન્ચ કરવાનું છે. જેનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. ઈસરોના ચેરમેન ડો. કે. સિવને કહ્યું કે, અમે 15 જુલાઈના રોજ 2.51 વાગ્યે પોતાના સૌથી પ્રતિષ્ઠિત મિશન ચંદ્રયાન-2ને લોન્ચ કરીશું. આ મિશન માટે ભારતના સૌથી તાકાતવર રોકેટ GSLV MK-3નો ઉપયોગ કરાશે. આ લોન્ચિગ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટરના બીજા લોન્ચ પેડથી કરવામાં આવશે.
ચંદ્રયાન-2 (Chandrayaan-2) ભારતની બીજા નંબરનું ચંદ્રમા મિશન (mission) છે. આ મિશનની ખાસિયત એ છે કે તે પ્રથમ વાર ભારત ચંદ્રમાની ઉત્તરનાં ભાગ પર 'લુનર રોવર' ઉતારશે. IIT કાનપુર દ્વારા નિર્મિત 'લુનર રોવર' એટલે કે માનવરહિત ચંદ્રયાનને ચંદ્રમા પર મોકલશે. જે ચંદ્રમાની સપાટીનાં અનેક રહસ્યો પરથી પડદો ઉઠાવશે.
ભારત પોતાનું મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને લોન્ચ કરવાનું છે. જેનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. ઈસરોના ચેરમેન ડો. કે. સિવને કહ્યું કે, અમે 15 જુલાઈના રોજ 2.51 વાગ્યે પોતાના સૌથી પ્રતિષ્ઠિત મિશન ચંદ્રયાન-2ને લોન્ચ કરીશું. આ મિશન માટે ભારતના સૌથી તાકાતવર રોકેટ GSLV MK-3નો ઉપયોગ કરાશે. આ લોન્ચિગ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટરના બીજા લોન્ચ પેડથી કરવામાં આવશે.
આ મિશન ચંદ્રયાન -2ના સફળ લોન્ચિંગ બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2ને લેન્ડ કરવામાં લગભગ 2 મહિનાનો સમય લાગશે. મિશન સફળ રહ્યું તો, ચંદ્રયાન-2 6 સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર ઉતરી શકે છે. ચંદ્રયાન-2 મિશનની ખાસ વાત એ છે કે, આ વખતે ચંદ્રની સપાટી પર તે ઉતરશે.
લગભગ 44 મીટર લાંબા 640 ટનનો જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ-માર્ક 3 (GSLV MK III) એક સફળ ફિલ્મનાં હીરોની જેમ સીધુ ઉભું છે. રોકેટમાં 3.8 ટનનું ચંદ્રયાન અંતરિક્ષ યાન છે. રોકેટને 'બાહુબલી' નામ આપવામાં આવેલ છે.
ચંદ્રયાન-2 મિશન હેઠળ ચંદ્રની સપાટી પર એક રોવરને ઉતારવામાં આવશે, જે અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ હશે. રોવર ચંદ્રની માટીનું વિશ્લેષણક કરશે અને તેમાં મિનરલ્સ સાથે હિલિયમ-2 ગેસની સંભવાના પણ તપાસશે, જે ભવિષ્યમાં ઊર્જાનો સંભવિત સ્ત્રોત હોઈ શકે છે. ચંદ્રયાન-2 પર કુલ 14 પેલોડ હશે, જેમાં 13 ભારતના અને એક નાસાનો પેલોડ હશે. ઓર્બિટર પર 8, લેન્ડર પર 4 અને રોવર પર 2 પેલોડ હશે.અમેરિકી સ્પેસ એજન્સી નાસાનું એકમાત્ર પેલોડ લેન્ડર પર હશે. ત્યારે અહીં આપણે જોઇશું કે આખરે કેવી રીતે ચંદ્રયાન-2નું બાહુબલી રૉકેટ તે જોઇએ આ વીડિયોમાં.
ચંદ્રયાન-2ના 3 ભાગ છે- ઓર્બિટર, લેન્ડર અને રોવર. તેનું કુલ વજન 3.8 ટન છે. ઓર્બિટર તે બાગ છે, જે સંબંધિત ઉપગ્રહની કક્ષામાં સ્થાપિત થાય છે, અને તેનું પરિક્રમણ કરે છે. કોઈ સ્પેશ મિશનમાં લેન્ડર તે ભાગ હોય છે, જે રોવરને સંબંધિત ઉપગ્રહની સપાટી પર ઉતારે છે. રોવરનું કામ સપાટી પર હાજર તત્વોનું અધ્યયન કરવાનું છે.
આ ચંદ્રયાન ચંદ્ર પરથી 3D ઇમેજ ઇસરોને મોકલશે. આ પહેલો મોકો છે, જ્યારે ચંદ્રનાં ઉત્તરનાં ભાગમાં કોઇ દેશ તરફથી કોઇ ચંદ્રયાન ઉતારવામાં આવી રહેલ છે. આને લઇને પૂરી દુનિયાની નજર ભારત પર ટકેલ છે. આઇઆઇટી કાનપુર દ્વારા નિર્મિત 'લુનર રોવર'ને ત્રણ વર્ષની આકરી મહેનત બાદ તૈયાર કરવામાં આવી શકે છે. આને તૈયાર કરવામાં લગભગ 50 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. આ ચંદ્રયાનની મુખ્ય ખાસિયત એ છે કે આ મોશન પ્લાનિંગ છે. મોશન પ્લાનિંગનો અર્થ છે કે આ ચંદ્રયાન ચંદ્રની સપાટી પર કેવી રીતે, ક્યારે અને ક્યાં જશે આની પૂરી જાણકારી.