ઇસરોના ચેરમેન કે. સિવને ચંદ્રયાન-2 (Chandrayaan2)ના લેન્ડર 'વિક્રમ' ને લઇને નવી જાણકારી આપી છે. એમણે કહ્યું, 'આપણુ લેન્ડર 'વિક્રમ' ચંદ્રની સપાટીથી લગભગ 300 મીટર સુધી નજીક પહોંચી ગયું હતું. લેન્ડિંગનું સૌથી મુખ્ય અને જટિલ ચરણ પાર થઇ ચૂક્યું હતું. જ્યારે આપણે મિશનના એકદમ નજીક હતા, ત્યારે જ સંપર્ક તુટી ગયો.
ઇસરોના ચેરમેન કે. સિવનનું મોટું નિવેદન
'વિક્રમ' લેન્ડર ચંદ્રની સપાટીથી 300 મીટર નજીક પહોંચ્યું હતું
ચંદ્રયાન-2નું ઓર્બિટર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે
કે. સિવને આગળ કહ્યું કે, ત્યારબાદ તેની સાથે (લેન્ડરની સાથે) શું થયું, તે અંગે અમારી નેશનલ લેવલની એક કમિટી તપાસ કરી રહી છે. આ પહેલા જે જાણકારી મળી હતી, એ અનુસાર કહેવામાં આવી રહ્યું હતું કે જ્યારે લેન્ડરથી સંપર્ક તુટી ગયો હતો, ત્યારે સપાટીથી તેનું અંતર 2.1 કિમી હતો.
નોંધનીય છે કે, થોડાક દિવસો પહેલા ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) ના અધ્યક્ષ કે. સિવને કહ્યું હતું કે ચંદ્રયાન-2 (Chandrayaan 2) મિશને 98 ટકા લક્ષ્ય હાંસલ કર્યું છે. કે. સિવને કહ્યું કે, ચંદ્રયાન-2નું ઓર્બિટર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે અને નક્કી વૈજ્ઞાનિક પ્રયોગ યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે. એમણે કહ્યું કે, ચંદ્રયાન-2એ 98 ટકા લક્ષ્ય હાંસલ કર્યું છે, જેના બે કારણ છે. એક વિજ્ઞાન અને બીજુ ટેક્નિકલ પ્રમાણ. ટેક્નિકલ ક્ષેત્રે લગભગ પૂર્ણ સફળતા હાંસલ થઇ છે.
K Sivan, ISRO Chief: #Chandrayaan2 orbiter is doing very well. All payload operations have commenced, it's doing extremely well. We have got no signal from lander but orbiter is working very well. A national level committee is now analysing what really went wrong with the lander. pic.twitter.com/XZKC2KKoNO
કે. સિવને કહ્યું કે ઇસરો 2020 સુધી બીજા ચંદ્ર મિશન પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. ઇસરો પ્રમુખ કે. સિવને કહ્યું હતું કે ઓર્બિટર માટે શરૂઆતમાં એક વર્ષની યોજના બનાવાઇ હતી. સંભાવના છે કે તે સાડા સાત વર્ષો સુધી ચાલશે. એમણે કહ્યું કે, ઓર્બિટર નક્કી કરવામા આવેલ વિજ્ઞાન પૂર્ણ સંતુષ્ટિ સાથે પ્રયોગ કરી રહ્યું છે. ઓર્બિટરમાં આઠ ઉપકરણ છે અને તમામ ઉપકરણ પોતાનું કામ યોગ્ય રીતે કરી રહ્યું છે.'
નોંધનીય છે કે, ચંદ્રયાન-2ના લેન્ડર 'વિક્રમ'નો ચંદ્રની સપાટી પર પહોંચે એ પહેલા સંપર્ક તુટી ગયો હતો. ત્યારબાદ ઇસરોના વૈજ્ઞાનિક સતત લેન્ડર સાથે સંપર્ક સાધવાની અને સંપર્ક તુટવાના કારણોની તપાસ કરી રહ્યા છે.