ચંદ્રયાન -2 સફળતાપૂર્વક 21 ઓગસ્ટના રોજ ચંદ્રની બીજી ભ્રમણકક્ષામાં પ્રવેશી ગયું છે. જે બાદ ચંદ્રયાન -2 એ ચંદ્રએ સપાટીથી આશરે 2650 કિ.મી.ની ઉંચાઈએથી એક તસવીર લીધી છે. ઇન્ડિયા સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. ઇસરોએ જણાવ્યું કે, ચંદ્રયાન -2 દ્વારા મોકલવામાં આવેલ ચંદ્રની તસવીરમાં ઓરિએન્ટલ બેસિન અને અપોલો ક્રેટર્સને ઓળખ્યા છે.
Take a look at the first Moon image captured by #Chandrayaan2#VikramLander taken at a height of about 2650 km from Lunar surface on August 21, 2019.
આપને જણાવી દઈએ કે, બુધવારે ઇસરોએ જાણ કરી હતી કે ચંદ્રયાન -2 એ ચંદ્રની બીજી ભ્રમણ કક્ષામાં પહોંચવામાં 1,228 સેકન્ડનો સમય લાગ્યો છે. ચંદ્રની ભ્રમણકક્ષાનો આકાર 118 કિલોમીટર ગુણ્યા 4,412 કિલોમીટર છે, જ્યાં સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર ઉતરશે.
મંગળવારે ચંદ્રયાન -2 ચંદ્રની પ્રથમ કક્ષામાં પહોંચ્યું હતું. અવકાશયાનમાં ઓર્બિટર (વજન 2,379 કિલો, આઠ પેલોડ), લેન્ડર 'વિક્રમ' (1,471 કિલોગ્રામ, ચાર પેલોડ) અને રોવર (27 કિલો, બે પેલોડ) શામેલ છે.
જણાવી દઈએ કે ઇસરોના અધ્યક્ષ કે સિવને જણાવ્ચુ હતું કે, ચંદ્ર પર ઉતરનારા ભારતના પ્રથમ ચંદ્ર મિશન ચંદ્રયાન -2 ને વિશ્વમાં ઉત્સુકતા સાથે જોવામાં આવી રહ્યું છે. સિવને કહ્યું કે ચંદ્રયાન -2 મિશન વૈશ્વિક સ્તરે એક મહત્વપૂર્ણ મિશન છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ચંદ્રમાં લેન્ડર વિક્રમ માટે લેન્ડિંગ ઓપરેશન સપ્ટેમ્બરની રાતે આશરે 1.40 કલાકે શરૂ થશે. તેનું લેન્ડિંગ રાતે 1.55 વાગ્યે ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર થશે.