ભારતના મહાત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2 નું લેન્ડર વિક્રમના ચંદ્રની સપાટી પર ઉતરવાના થોડી મીનિટ પહેલાં જ પૃથ્વી સાથેનો સંપર્ક ટૂટી ગયો હતો.
ત્યારપછી નેતાઓએ અંતરિક્ષ એજન્સી અને તેમના વૈજ્ઞાનિકોને નિરાશ ન થવાનો અને સાથે જ સફળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતને તેમના વૈજ્ઞાનિકો પર ગર્વ છે. વૈજ્ઞાનિકોને હિંમત રાખવા કહ્યું હતું.
We are proud of India and its scientists today. Chandrayaan-2 saw some challenges last minute but the courage and hard work you have shown are historical. Knowing Prime Minister @narendramodi, I have no doubt he and his ISRO team will make it happen one day.
તો બીજી તરફ ભારતના પડોશી દેશ ભૂટાનના પ્રધાનમંત્રી લોતે શેરિંગે કહ્યું કે, ''અમને ભારત અને તેમના વૈજ્ઞાનિકો પર ગર્વ છે. ISRO વૈજ્ઞાનિકોની સખત મહેનત ઐતિહાસીક છે. મોદી અને તેમની ટીમને જરૂર સફળતા મળશે.''
જોકે ભારતના બીજા પડોશી દેશ પાકિસ્તાને ભારતની આ સફળતા ના પચી. 'ચંદ્રયાન-2' ને લઇને પાકિસ્તાનના વિજ્ઞાન અને તક્નિકી મંત્રી ચૌધરી ફવાદ હૈસુને પોતાનુ નકારાત્મક નિવદેન આપતા કહ્યુ કે, "Awwwww..... Jo kaam ata nai panga nai leitay na..... Dear “Endia” ફવાદ ચૌધરીનામાં ટ્વિટમાં તેમણે ઈન્ડિયાની જગ્યાએ એંડિયા લખી દીધું. તેમની આવી હરકતના કારણે તેઓ સોશ્યલ મીડિયામાં ખૂબ ટ્રોલ થઇ રહ્યા છે.
તમને જણાવી દઇએ કે, શનિવારનો દિવસ દેશ સ્પેસ સાયન્સ માટે ઐતિહાસિક રહ્યો. ભારતની જનતા સિવાય દુનિયાભરની નજર ISRO ના આ મિશન પર હતી. ભારત અંતરિક્ષ વિજ્ઞાનમાં ઇતિહાસ રચવા માટે તૈયાર જ હતુ. ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડર વિક્રમ ઉતરવાની તમામ પ્રક્રિયા સામાન્ય જ હતી. કુલ 13 મિનિટ 48 સેકન્ડ સુધી બધુ ઠીક અને સલામત ચાલી રહ્યુ હતુ. પરંતુ છેલ્લા દોઢ મિનિટ પહેલા જ્યારે લેન્ડર ચંદ્ર પરથી 2.1 કિલોમીટર ઉપર હતુ ત્યારે લગભગ 1.55 વાગે ISROનો નિયંત્રણ કક્ષ સાથે સંપર્ક તૂટી ગયો. જે પછી ISROના ચીફ કે. સિવને કહ્યું કે ''વિક્રમ લેન્ડર ચંદ્ર પર ઉતરવાના મિશનની યોજના પ્રમાણે જ કામ કરી રહ્યુ હતુ અને 2.1 કિમી ઉંચાઇ સુધી બધુ જ ઠીક હતુ. જે પછી વિક્રમનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો. ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યો છે.''