ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)એ વૈજ્ઞાનિક ચંદ્ર પર બીજુ પગલુ ભરવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે.
ચંદ્ર પર જવા માટે ભારતનું સ્પેસ મિશન ચંદ્રયાન- 2 લોન્ચ કરવાની જાહેરાત બેંગ્લોરના ISROના ચેરમેન ડૉ. કે સિવાને કરી છે. તેમણે જણાવ્યુ કે, 15 જૂલાઇએ સવારે 2 વાગ્યેને 51 મિનિટ ચંદ્રયાન-2 લોન્ચ કરવામાં આવશે. સિવાને બેંગ્લોર આ મિશન સાથે જોડાયેલી માહિતી માટે વેબસાઇટ પણ લોન્ચ કરી.
Indian Space Research Organisation Chairman Dr. K Sivan: ISRO has firmed up that Chandrayaan 2 Mission will be launched on July 15 early morning at 2 hours 51 minutes. pic.twitter.com/E64eBaZfu7
આ યાન ત્રણ ભાગમાં વહેંચાયેલું છે, લેન્ડર, રોવર અને ઓર્બિટર. રોવર એક રોબોટ આર્ટિકલ છે, જેનું વજન 27 કિલો છે અને લંબાઇ 1 મીટર છે. લેન્ડરનુ વજન 1.4 ટન અને લંબાઇ 2.5 મીટર છે. ઓર્બિટરનું વજન 2.4 ટન છે અને લંબાઇ 2.5 મીટર છે.
આ રીતે ચંદ્રયાન પર ઉતરશે ભારતનુ યાન:
સિવાયે જણાવ્યુ કે, લેન્ડરને ઓર્બિટરના ઉપર રાખવામાં આવશે. લેન્ડર, ઓર્બિટર અને રોવરને એક સાથે કમ્પોઝિટ બૉડી કહેવામાં આવે છે. આ કમ્પોઝિટ બૉડીને GSLV mk ।।। લોન્ચ વ્હીકલની અંદર હીટ શીલ્ડમાં રાખવામાં આવશે. 15 જૂલાઇ પછી 15 મિનિટ પછી GSLV કમ્પોઝિટ બોડીને ઈજેક્ટ કરી દેશે. તેમણે જણાવ્યું કે પ્રોપલ્શન સિસ્ટમના કારણે કમ્પોઝિટ બોડી ચંદ્રની તરફ આગળ વધશે. થોડા દિવસ પછી એક રેટ્રો બર્ન હોર્મથી તે ચંદ્રની કક્ષામાં પહોંચી જશે.
આ પછી યોગ્ય સમયે તે લેન્ડર ઓર્બિટરથી અલગ થઈ જશે. લેન્ડર પોતાની પ્રોપલ્શનનો ઉપયોગ કરીને ચંદ્રથી 30 કિમીની કક્ષામાં લગભગ 4 દિવસ સુધી રહેશે. લેન્ડિંગવાળા દિવસે પ્રોપલ્શન સિસ્ટમ તેની વેલોસિટીને ઘટાડશે અને લેન્ડરને ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરાવશે. આ પ્રક્રિયામાં લગભગ 15 મિનિટનો સમય લાગશે.
આવનારી પેઢીઓને ફાયદો:
ડૉ. સિવાને જણાવ્યું કે, ઈસરોના આ મિશન સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ લોકોની સુરક્ષા અને ક્વૉલિટી ઑફ લાઇફને વધારે સારી બનાવવા માટે કરાય છે. તેમણએ જણાવ્યુ કે, કઇ રીતે સ્પેસ ટેક્નોલોજીના ચક્રવાતી તોફાન ફોનીમાં બ્રોડબેન્ડ સેવા છેવાડાના વિસ્તાર પહોંચવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સ્પેસ સાયન્સ ધ્યાન કેન્દ્રીય કરવાનુ છે. જેના હેઠળ અન્ય ગ્રહો એક્સફ્લોર તેમનુ પૂર્ણ કરશે, જેનો ફાયદો આગળની પેઢીને થશે.