ગુજરાતમાં તાજેતરમાં સમાજના કેટલાક વર્ગો દ્વારા દલિત વ્યક્તિના વરઘોડાને રોકવાની ઘટના બની છે. આ ઘટનાને લઇને ભાજપ સરકારની આલોચના કરતા ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદે આજરોજ ચેતાવણી આપતા કહ્યું કે, આ પ્રકારના અત્યાચાર હવે સહન કરવામાં નહીં આવે.
ગુજરાતમાં તાજેતરમાં સમાજના કેટલાક વર્ગો દ્વારા દલિત વ્યક્તિના વરઘોડાને રોકવાની ઘટના બની છે. આ ઘટનાને લઇને ભાજપ સરકારની આલોચના કરતા ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદે આજરોજ ચેતાવણી આપતા કહ્યું કે, આ પ્રકારના અત્યાચાર હવે સહન કરવામાં નહીં આવે.પત્રકારો સાથે વાત કરતા આઝાદે કહ્યું કે, ગુજરાતમાં 'જંગલ રાજ' કાયમ છે કારણ કે, અનુસુચિત સમુદાયના લોકોને સંવિધાન દ્વારા આપવામાં આવેલ તેમના મૌલિક અધિકારોથી વંચિત રખાયા છે.
રાવણના નામથી જાણીતા આઝાદે કહ્યું કે, હું ગુજરાત એટલા માટે આવ્યો છું કે, તાજેતરમાં જ દલિતો પર અત્યાચારની અનેક ઘટનાઓ બની છે. એવું લાગી રહ્યું છે કે, ગુજરાતમાં સંવિધાનની જોગવાઇ લાગુ કરવામાં આવી નથી. દરેક નાગરિકને ભેદભાવથી બચાવનાર સંવિધાનના અનુચ્છેદન 15ને ગુજરાત સરકારે હટાવી દીધો છે.
साथियों कल मैं गुजरात के महेसाना और बावडा के क्षेत्र में पीड़ित परिवारों से मिलने जा रहा हूँ
ज्यादा से ज्यादा बहुजन समाज के भाई महेसाणा ओर बावडा पहुचे।
जय भीम, जय भीम आर्मी
जय भारत,जय संविधान
— Chandra Shekhar Aazad (@BhimArmyChief) May 16, 2019
આ સાથે જ ભીમ આર્મીના સંસ્થાપકે વધુમાં કહ્યું કે, માત્ર વરઘોડો કાઢવાની અને રોકવાની જ વાત નથી પરંતુ ગુજરાતમાં દલિત મૂંછ રાખે અને પોતાના નામ પાછળ સિંહ રાખે તો પણ તેઓ અત્યાચારનો શિકાર થાય છે.
साथियों परसों को मोदी के गढ़ गुजरात जा रहा हूँ। गुजरात के मुख्यमंत्री विजय रूपानी को ये बताने की गुजरात संविधान से चलेगा न कि तुम्हारे मनुवादी एजेंडे से और बारात तो अब हम घोड़ी पर ही निकालेंगे तुम सुरक्षा नही दोगे तो भीम आर्मी सुरक्षा देगी जैसे हमने मध्यप्रदेश में किया। जय भीम pic.twitter.com/B1hjVoQYb0
— Chandra Shekhar Aazad (@BhimArmyChief) May 15, 2019
ઉલ્લેખનીય છે કે, તેઓને અત્યાર સુધી મંદિરોમાં જવાની મંજૂરી નહોંતી આ બાબત બીજું કાઇ નહીં જંગલ રાજ છે. હું સરકારને જણાવવા માગું છું કે, હવે દલિત આ અપમાન સહન નહીં કરી શકે અમે ઇચ્છીએ છીએ કે, સરકાર જાગે અને હોંશમાં આવે.
આપને જણાવી દઇએ કે, ભીમ આર્મી ચીફના વડા અને રાવણના ઉપનામથી જાણીતા ચંદ્રશેખર આઝાદે તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી હતી. તેમણે મહેસાણાના કેટલાક ગામોની મુલાકાત લઇને દલિત પરિવારોને મળ્યા હતા.