ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે સીએએ, એનઆરસી તથા દલિતની સાથે મારપીટની ઘટના વિરુદ્ધમાં ભારત બંધનું એલાન જાહેર કર્યુ છે. બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. યુપી અને બિહારમાં હાઈ એલર્ટ છે. કેટલાક દળોએ બંધને સમર્થન આપ્યું છે તો કેટલાકે તેને સમર્થન નથી આપ્યું. જાણો ક્યાં શું થઈ રહ્યું છે.
સીએએ, એનઆરસી અને દલીત યુવકને મારવા બદલ ભારત બંધ
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે ભારત બંધનું એલાન આપ્યું
એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે
પોલીસે 3 યુવકોની અટકાયત કરી છે
ભીમ આર્મી ચીફ ભારત બંધના એલાનની ઈનપુટ પર પોલીસે શહેરના સંવેદનશીવ વિસ્તારોમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવ્યો છે. મેરઠના કમિશનરી પાર્કમાં પોલીસે 3 યુવકોની અટકાયત કરી છે. ત્યારે બીજી તરફ બદર અલીને પોલીસે નજરબંધ કર્યા હતા.
કેટલીક વિપક્ષી પાર્ટીઓએ સમર્થન આપ્યું છે
બિહારમાં બંધની અસર જોવા મળી રહી છે. બિહારના કેટલાય જિલ્લાઓમાં તેની અસર વર્તાઈ છે. દરભંગામાં ભાકપા(માલે)ના કાર્યકર્તાઓએ ટ્રેન રોકી છેય ત્યારે બેગુસરાયમાં પણ તેની અસર જોવા મળી છે. બિહારમાં રાજદ. ભાકપા(માલે) સહિત કેટલીક વિપક્ષી પાર્ટીઓએ સમર્થન આપ્યું છે.
મેરઠમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે
બીજી તરફ ચંદ્રશેખર આઝાદે લોકોને ટ્વીટ કરી કહ્યું હતું કે, ‘હું તમામ રાજકીય પાર્ટીઓને અપીલ કરુ છું કે 23 ફેબ્રુઆરીએ બંધને સહકાર આપે . જય ભીમ તથા તેમણે તમામ લોકોને અયોગ્ય હિંસાત્મ ઘર્ષણથી બચવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે બંધને પગલે મેરઠમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.