રાજ ઠાકરે અને ચંદ્રકાંત પાટિલની મુલાકાત બાદ BJP અને MNSએ ઘણા મોટા સંકેતો આપ્યા છે.
રાજ ઠાકરે અને ચંદ્રકાંત પાટિલની મુલાકાત
BJP અને MNSએ ઘણા મોટા સંકેતો આપ્યા
છેલ્લા 15 દિવસમાં આ છે બીજી મુલાકાત
રાજ ઠાકરે અને ચંદ્રકાંત પાટિલની મુલાકાત
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનના પ્રમુખ રાજ ઠાકરે સાથે મુંબઈમાં મુલાકાત કરી હતી. આ બંને નેતાઓની મુલાકાતથી રાજકારણ એકદમ ગરમાયું છે. હવે આ અટકળોને વધુ પકડવાળો વેગ મળ્યો છે. રાજ ઠાકરે અને ચંદ્રકાંત પાટિલની મુલાકાત બાદ BJP અને MNSએ ઘણા મોટા સંકેતો આપ્યા છે. આ મુલાકાત બાદ ચંદ્રકાંત પાટિલે જણાવ્યું કે રાજ ઠાકરેના કહ્યા મુજબ તેમના મનમાં ઉત્તર ભારતીઓ માટે મનમા કોઈ પણ દ્વેષ રાગ નથી. તેમણે તે પણ કહ્યું કે રાજ ઠાકરે હિન્દુત્વના મુદ્દે ઘણા આકર્ષક થશે.
BJP અને MNSએ ઘણા મોટા સંકેતો આપ્યા
ચંદ્રકાંત પાટિલે કહ્યું કે મારી રાજઠાકરે સાથે મુલાકાત થઈ. તેમણે મને ચા પર ઘરે બોલાવ્યો હતો. આ દરમિયાન રાજનીતીણી પણ વાતો થઈ. પણ BJPએ આ માત્ર એક સામન્ય મુલાકાત હોવાનું કહી આ વાત પર વિરામ મૂકી દીધું છે. તમને જણાવી દઈએ કે મુંબઈ નગર નિગમ ચૂંટણી આવતા વર્ષે થવાની છે અને આ માટે જ BJP અને MNS ગઠબંધન કરી શકે છે. કેટલાક દિવસો પહેલા જ આ બંને પાર્ટીઓના નેતા એકબીજાને મળ્યા હતા.
બંને નેતાઓ વચ્ચે લગભગ 1 કલાક સુધી વાત ચાલી
શુક્રવારે આ બંને નેતાઓ વચ્ચે લગભગ 1 કલાક સુધી વાત ચાલી હતી. આ બેઠકમાં રાજ ઠાકરે સહિત MNSના ઘણા નેતાઓ પણ હાજર રહ્યા હતા. એવામાં અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે ભાજપ અને MNS વચ્ચે ગઠબંધન થઈ શકે તેમ છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 15 દિવસમાં રાજ ઠાકરે અને ચંદ્રકાંત પાટિલની આ બીજી મુલાકાત છે. જેને લઈ હવે રાજકારણમાં ઘણી વાતો ચાલી રહી છે. સૂત્રોના કહ્યા મુજબ રાજ ઠાકરે સાથે BJP મુંબઈ અને પૂણે મહાનગર પાલિકાની ચૂંટણીને લઈ વાતચીત ચાલી રહી છે.