રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીના મૃત્યું બાદ અન્ય એક એક્ટરનું નિધન થઇ ગયું છે જેમણે નિષાદ રાજની ભૂમિકા ભજવી હતી.
રામાયણના કલાકારનું નિધન
નિષાદ રાજની ભૂમિકા ભજવી હતી
ચંદ્રકાન્ત પંડ્યાને મળ્યો હતો રાષ્ટ્રીય ઍવોર્ડ
ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા "ચંદ્રકાંત પંડ્યા"નું ટૂંકી બીમારી બાદ 78 વર્ષની વયે મુંબઈમાં નિધન થયુ છે. રામાયણમાં સિરિયલમાં નિષાદ રાજની (Ramayan Nishad Raj) ભૂમિકાથી તેઓ જાણીતા બન્યા હતા. આ સાથે તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનો અભિનય આપ્યો છે. ચંદ્રકાંત પંડ્યાને સુપ્રસિદ્ધ ફિલ્મ માનવીની ભવાઇ માટે રાષ્ટ્રીય એવાર્ડ મળ્યો હતો.
બનાસકાંઠામાં જન્મ્યા હતા
અભિનેતા ચંદ્રકાન્ત પંડ્યાનો જન્મ બનાસકાંઠાના ભીલડી ગામે થયો હતો. તેઓ 1 જાન્યુઆરી 1946ના રોજ જન્મ્યા હતા. તેમના પિતા વ્યવસાયર્થે મુંબઇ આવ્યા હતા અને પછી ત્યાં જ સ્થાયી થઇ ગયા હતા. BA સુધી ભણ્યા બાદ ઉપેન્દ્ર અને અરવિંદ ત્રિવેદી સાથે નાટકોમાં કામ કર્યું હતું. જે બાદ જ તેમની કારકીર્દિની શરૂઆત થઇ હતી.
રામાયણમાં મળી સફળતા
રામાયણમાં નિષાદ રાજની ભૂમિકા ભજવી હતી જે બાદથી તેઓ ખુબ પ્રખ્યાત થયા હતા. તેમની એક્ટિંગે લોકોનું દિલ જીતી લીધું હતું. તેમને અલગ અલગ 7 એવોર્ડ મળ્યા હતા.