આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુ અને તેમની તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના કેટલાક નેતાઓને YS જગન મોહન રેડ્ડી દ્વારા ચલાવામાં આવેલ સરકાર વિરુધ્ધ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા જવાને લઇને નજરકેદ કરાયાં છે.
આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને તેમના દિકરા નારા લોકેશને તેમના જ ઘરમાં નજરકેદ કરવામાં આવ્યાં છે. તેમની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના કેટલાક નેતા આંધ્ર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની પાર્ટી YSRCP સરકરા વિરુધ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શન કરી રહી છે.
જેના પગલે ચંદ્રબાબુ નાયડુ અને તેમના દિકરા નારા લોકેશને વિરોધ પ્રદર્શનમાં સામેલ થતા રોકવા માટે તેમના નિવાસ સ્થાન પર નજરકેદ કરાયાં છે.
TDP દ્વારા સત્તારૂઢ YSR કોંગ્રસ પાર્ટી દ્વારા કથિત હિંસા અને ધમકી વિરુધ્ધ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે. ચંદ્રાબાબુ નાયડુની પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ટીડીપીના આઠ કાર્યકર્તાઓ માર્યા ગયા છે અને ગત સપ્તાહમાં સત્તામાં 100 દિવસ પુરા કરનાર રેડ્ડીની પાર્ટી દ્વારા ઘણો ભય છે.
નજરકેદના વિરોધમાં ચંદ્રબાબૂ નાયડુએ પોતના ઘરમાં જ સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ભૂખ હડતાળની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ચંદ્રાબાબૂ નાયડુના સમર્થકોનો જમાવડો તેમના નિવાસ સ્થાન આગળ થઇ રહ્યો છે. જેને રોકવા પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી છે.
Telugu Desam Party (TDP) Chief N Chandrababu Naidu and his son, Nara Lokesh have been put under preventive detention at their house. https://t.co/MZZXaJRutp