આંધ્ર પ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબૂ નાયડૂ જે ઘરમાં રહે છે, એમની સાથે એ ઘર ખાલી કરાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. સત્તારૂઢ વાઇએસઆર કોંગ્રેસનું કહેવું છે કે જો તેઓ ઘર ખાલી કરતા નથી તો એમને કાર્યવાહી માટે તૈયાર રહેવું જોઇએ.
આંધ્રપ્રદેશની સત્તાધારી YSRCP કોંગ્રેસ પાર્ટીએ પૂર્વ સીએમ ચંદ્રાબાબુ નાયડૂના મકાનને ખાલી કરવાની માગ કરી છે. નાયડૂ જે મકાનમાં રહે છે તે મકાન ખાલી કરવાની માગ કરી છે. YSRના ધારાસભ્ય અલ્લા રામકૃષ્ણા રેડ્ડીએ કહ્યું કે, નાયડૂ ગેરકાયદેસરલ મકાનમાં રહે છે તે નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ. ઉપરાંત નાયડૂએ ચર્ચા કરવાના બદલે મકાનને ખાલી કરવું જોઈએ.
ટીડીપીના અધ્યક્ષ મકાન ખાલી નહીં કરે તો તેઓ કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહે. અમે આ મામલે સક્ષમ અધિકારીને પણ ફરિયાદ કરીશું. નાયડૂ જે મકાનમાં રહે છે તે મકાન માલિકે પણ ગત મહિને વિવિધ કાયદાના ભંગ બદલ નોટિસ જાહેર કરી હતી.
કૃષ્ણા નદીના કિનારે બનેલી તમામ ગેરકા.દે બિલ્ડિંગ પાડવા માટે ચલાવવામાં આવેલા અભિયાનનું નેતૃત્વ કરનાર YSRCP નેતાએ કહ્યું, 'એ જમીન જેની પર લિંગામનેની રમેશે મકાન બનાવ્યું, સ્પષ્ટ રૂપથી વિભિન્ન વિભાદોના નિયમોની ઉપેક્ષા છે એટલા માટે ટીડીપી અધ્યક્ષે તરત એ મકાન ખાલી કરી દેવું જોઇએ અને મકાનની સ્થિતિ પર ચર્ચા બંધ કરી દેવી જોઇએ. '