લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં 7 રાજ્યોની 59 બેઠકો પર હાલ મતદાન પૂર્ણ થયું છે, પરંતુ આ દરમિયાન વિપક્ષ સંભવિત સમિકરણોને લઇને આવરણ બનાવવામાં લાગ્યા છે. આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબૂ નાયડૂ પરિણામો પહેલા જ એક્ટિવ થયા છે.
પરિણામ બાદ ગઠબંધનની સ્થિતિને લઇને તેમણે રવિવારે પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. ગત 24 કલાકમાં બન્ને દિગ્ગજ નેતાઓથી તેમની આ બીજી મુલાકાત હતી. ત્યારબાદ તેઓ ડાબેરી પક્ષ સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી સાથે પણ મુલાકાત કરી. એટલું જ નહીં રવિવાર સાંજે તેઓ યૂપીએના ચેરપર્સન સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી શકે છે.
આ પહેલા શનિવારે પણ ચંદ્રાબાબૂ નાયડૂએ રાહુલ, શરદ પવાર સિવાય એસી ચીફ અખિલેશ યાદવ અને બીએસપી સુપ્રીમો માયાવતી સાથે મુલાકાત કરી હતી. ગત દિવસોમાં કોંગ્રેસ તરફથી ભાજપને હટાવવા માટે પ્રધાનમંત્રી પદનો ત્યાગ કરવાના નિવેદન બાદથી ગઠબંધન સરકારને લઇને અટકળો ચાલી રહી છે.
Andhra Pradesh CM N Chandrababu Naidu meets CPI (Marxist) General Secretary Sitaram Yechury pic.twitter.com/hg7adxx3Ok
કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના બહુમતથી દૂર રહેવા અને કોંગ્રેસની બેઠકોના આંકડા ઓછા થવા પર કોઇ ક્ષેત્રીય દળના નેતા નેતૃત્વમાં યૂપીએની ગઠબંધન સરકારની બનાવવાના પ્રયત્નો થઇ શકે છે.