નાયડૂ માત્ર ચોવીસ જ કલાકમાં બીજી વાર રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. મહત્વનું છે કે નાયડૂએ શરદ પવાર સાથે પણ મુલાકાત કરી અને તેમને ત્યાંથી માત્ર નિરાશા મળી છે. પવારે નાયડૂને કહ્યું કે, ચૂંટણી પરિણામ બાદ જ મીટિંગ કરી શકાશે.
તો ગઈ કાલે નાયડૂએ અખિલેશ યાદવ અને માયાવતી સાથે પણ મુલાકાત કરી હતી. અખિલેશ અને માયાવતી સાથે મુલાકાત બાદ હવે રાહુલ ગાંધી સાથે નાયડૂ મુલાકાત કરશે.
તો સાંજે પાંચ વાગ્યાની આસપાસ નાયડૂ યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, નાયડૂ તબક્કાવાર રીતે વિપક્ષના મુખ્ય નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. ભાજપ સામે વિપક્ષને મજબૂત બનાવવા માટે નાયડૂએ મહેનત આદરી છે. પણ હવે જોવાનું એ રહ્યું કે નાયડૂની આ મહેનત રંગ લાવશે કે કેમ....