આજે રાતે 11:55 મિનિટથી ગ્રહણ લાગૂ થઇ જશે શાસ્ત્રોના નિયમાનુસાર ગ્રહણથી 9 કલાક પહેલા સતૂક આવી જાય છે. આ નિયમ અનુસાર 2:54 મિનિટ પર સૂતક લાગી ગયું છે.
આ સાથે જ દેશના તમામ મંદિરોની કપાટ બંધ થઇ ચૂક્યા છે. કાશી વિશ્વનાથ કેદારનાથ અને બદ્રીનાથના કપાટ બંધ થઇ ગયા છે. સૂતકના કારણે સાંજની આરતી અને પૂજા પણ નહી થાય.
28 તારીખે સવારે 3:49 મિનિટ પર ગ્રહણ સમાપ્ત થયા પથી સવારના નિયત સમય પર મંદિરના કપાટ ખુલશે અને પૂજા અર્ચના કરવામાં આવશે.
શાસ્ત્રોના અનુસાર ગ્રહણનું સૂતક લાગી જાય તે પછી મંદિરો અને ઘરના મંદિરોમાં ભગવાનની પૂજા ના કરવી જોઇએ. ગ્રહણના સતૂકથી લઇને ગ્રહણ મોક્ષ સુધી ભગવાનની મૂર્તિનો સ્પર્શ પણ ના કરવો જોઇએ.
ગ્રહણ લાગ્યા પછી ના કરો આ કામ:
- માન્યતા અનુસાર ચંદ્રગ્રહણના સમયે ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર નીકળવું ટાળવું જોઇએ. ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ સમયથી એક કલાક પહેલા જ આ કામ ખતમ કરી દેવું જોઈએ.
- સોય તેમજ ધારદાર વસ્તુઓના ઉપયોગથી બચવું જોઇએ.
- માન્યતાઓ અનુસાર ચંદ્રગ્રહણ દરમિયાન ભોજન કરવાનું ટાળવું જોઇએ. જો કંઇક ખાવાની ઇચ્છા થાય તો ચંદ્રગ્રહણ શરૂ થાય અથવા તો પૂરું થાય તે પહેલા ખાઇ લેવું જોઇએ.
- ચંદ્રગ્રહણના સમયમાં કોઇ શુભ કામ ના કરવું જોઇએ.
- જે સમય સુધી ચંદ્રગ્રહણ રહે છે તે સમયે ભગવાનની પૂજા-અર્ચના ના કરો. ઘરમાં જ ભગવાનનું સ્મરણ કરો કેમકે આ દરમિયાન મંદિર બંધ રહે છે.
- ભગવાનની મૂર્તિનો સ્પર્શ ના કરવો જોઇએ.
મહિલાઓ ખાસ રાખે આ વાતનું ધ્યાન:
ગ્રહણ દરમિયાન માત્ર ભોજન જ નહી પરંતુ સંબંધ પણ બનાવવો વર્જિત રાખવામાં આવે છે. આ પાછળ માન્યતા છે કે જે ગ્રહણના દરમિયાન મહિલા ગર્ભવતી બને તો નવજાત બાળક દિગ્યાંગ અથવા તો માનસિક રીતે અસ્થિર જન્મ છે અને આ સાથે જ ગર્ભવતી મહિલાઓ પર ગ્રહણનની અસર પડવી અશુભ માનવામાં આવે છે.