149 વર્ષ પછી અષાઢી માસની પૂનમ અર્થાત્ ગુરૂપૂર્ણિમાના દિવસે જ ચંદ્રગ્રહણ થયું. જે ભારત સહિત અનેક દેશોમાં દેખાયું હતું. ચંદ્રગ્રહણથી મેષ અને કર્ક રાશિ ધરાવતાં લોકો માટે ખૂબ જ શુભ ઘટના બનશે જ્યારે વૃષભ અને મિથુન રાશિના લોકો માટે અશુભ ઘટનનાના સંકેત છે.
મંગળવારે રાત્રે 1.32 વાગ્યે ચંદ્ર ગ્રહણ લાગ્યું હતું જે 4.30 વાગ્યા સુધી ચાલ્યું. આ આશિંક ગ્રહણ હતું. જે આ વખતે બીજી અને છેલ્લી વખત લાગ્યું હતું. આ અગાઉ ગુરૂપૂર્ણિમાના દિવસે 149 વર્ષ પહેલાં એટલે 12 જુલાઈ 1870ના રોજ આજ પ્રકારનું ચંદ્રગ્રહણ યોજાયું હતું.
ચંદ્રગ્રહણ અલગ અલગ દેશોમાં જેવા કે ભારત, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકામાં દેખાયું હતું. ચંદ્રગ્રહણની અસર ભારતમાં દેખાયાના 9 કલાક પૂર્વે જ શરૂ થઈ ગઈ હતી જેથી ચાર ધામ સહિતના મુખ્યમંદિરનોના દ્રાર સાંજે 4 વાગ્યે જ બંધ કરી દેવાયા હતા.
ઘણ(ચંદ્રગ્રહણની અસર)ના કારણે હરિદ્રારમાં દશાશ્મેઘ ઘાટ પર રોજ સૂર્યાસ્ત સમયે યોજાતી ગંગા આરતી ગઈ કાલે બપોરે 3 વાગે જ યોજાઈ હતી. 28 વર્ષમાં આવું ત્રીજી વખત બન્યું જ્યારે દિવસે જ મા ગંગાની આરતી થઈ હોય.