નવેમ્બર મહિનો તહેવારોનો મહિનો છે. દિવાળીનો તહેવાર પત્યા બાદ આ મહિનાના છેલ્લા દિવસે એટલે કે 30 નવેમ્બરે ઉપચ્છાયા ચંદ્રગ્રહણ યોજાશે. આ વર્ષ 2020નું છેલ્લું ચંદ્રગ્રહણ હશે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર ચંદ્ર ગ્રહણ વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં યોજાશે. આ ગ્રહણ સમયે મંદિર ખુલ્લા રહેશે. ભારત, અમેરિકા, પ્રશાંત મહાસાગર, એશિયા અને ઓસ્ટ્રેલિયામાં ગ્રહણ જોઈ શકાશે.
30 નવેમ્બરે ઉપચ્છાયા ચંદ્રગ્રહણ યોજાશે
ચંદ્રગ્રહણ વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં યોજાશે
ગ્રહણ સમયે મંદિર ખુલ્લા રહેશે
સૂતકનો સમય
મળતી માહિતી અનુસાર ચંદ્રગ્રહણમાં સૂતક કાળ માન્ય હોતો નથી. આ ઉપચ્છાયા ચંદ્રગ્રહણ છે. આ માટે સૂતક લાગશે નહીં. સામાન્ય રીતે ગ્રહણમાં શુભ કામ અને પૂજા પાઠ ન થતા હોવાથી તે ચીજો બાધિત રહેશે.
ઉપચ્છાયા ચંદ્રગ્રહણ
જ્યારે ચંદ્ર પરિક્રમા કરતાં કરતાં પૃથ્વીની કક્ષાની નજીક પહોંચે છે ત્યારે પૃથ્વીની સ્થિતિ સૂર્ય અને ચંદ્રની નજીક એક લાઈનમાં આવે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. આ સ્થિતિને ચંદ્રગ્રહણ કહેવાય છે. આ સ્થિતિમાં ચંદ્રના આકાર પર કોઈ અસર થતી નથી. જ્યારે વાસ્તવિક ચંદ્ર ગ્રહણમાં ચંદ્રનો આકાર બદલાયેલો દેખાય છે. ઉપચ્છાયા ગ્રહણ વધારે પ્રભાવશાળી હોતું નથી.
ચંદ્રગ્રહણનો પ્રભાવ
ચંદ્રગ્રહણની મન, મસ્તિષ્ક, માતા તથા દ્વવ્ય પદાર્થોનો કારક માનવામાં આવે છે. માનવામાં આવે છે કે ચંદ્ર ગ્રહણ સમયે અત્યાધિક પીડા સહન કરવી પડે છે. આ કારણે તે અશુભ ફળ આપે છે. આ ચંદ્રગ્રહણનો વૃષભ રાશિ પર વિશેષ પ્રભાવ રહેશે. આ સમયે સ્વાસ્થ્ય અને ધન સંબંધી મુશ્કેલીઓ પણ આવી શકે છે.