વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ મે મહિનામાં યોજાઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ 26મેના રોજ લાગશે. ખાસ વાત એ છે કે આ દિવસે વૈશાખી પૂનમ પણ બની રહી છે. તો જાણો કેવું રહેશે ગ્રહણ અને તેની અસર.
વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ
ચંદ્રગ્રહણ 26મેના રોજ લાગશે
જાણો કેવું રહેશે ગ્રહણ અને તેની અસર
ચંદ્રગ્રહણનો સમય
26મેના રોજ થનારું ચંદ્રગ્રહણ બપોરે 2વાગીને 17 મિનિટે શરૂ થશે અને સાંજે 7 વાગીને 19 મિનિટે ખતમ થશે. આ ગ્રહણનો પ્રભાવ વૃશ્વિક રાશિ અને અનુરાધા નક્ષત્ર પર સૌથી વધારે રહેશે.
કેવું રહેશે ગ્રહણ
વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ઉપછાયા ગ્રહણ રહેશે. આ કારણે આ ગ્રહણનો ધાર્મિક પ્રભાવ માન્ય રહેશે નહીં.
ક્યાં ક્યાં દેખાશે ગ્રહણ
26મેનું ગ્રહણ અમેરિકા, ઉત્તરી યૂરોપ, પૂર્વી એશિયા, ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત મહાસાગરના કેટલાક વિસ્તારોમાં પૂર્ણ રૂપે દેખાશે અને સાથે ભારતમાં તે ઉપછાયાની જેમ દેખાશે.
આ રહેશે સૂતકનો સમય
ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ છે. ઉપછાયા ગ્રહણમાં કોઈ પણ ધાર્મિક કાર્યો પર પાબંદી હોતી નથી. આ દિવસે સૂતક કાળ મનાશે નહીં. ગ્રહણ સમયે મંદિરના કપાટ ખુલ્લા રહેશે. આ દિવસે કોઈ શુભકાર્યો પર રોક રહેશે નહીં.
શું હોય છે ઉપછાયા ગ્રહણ
ચંદ્રગ્રહણ શરૂ થતા પહેલા ચંદ્રમા ધરતીની ઉપછાયામાં પ્રવેશ કરે છે. જ્યારે ચંદ્રમા પૃથ્વીની વાસ્તવિક છાયામાં પ્રવેશ વિના બહાર નીકળે છે તો તેને ઉપછાયા ગ્રહ કહે છે. જ્યારે ચંદ્રમા ધરતીની વાસ્તવિક છાયામાં પ્રવેશ કરે છે તો પૂર્ણ ચંદ્રગ્રહણ લાગે છે. ઉપછાયા ગ્રહણને વાસ્તવિક ચંદ્ર ગ્રહણ મનાશે નહીં.