આજે બપોરે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ 4 કલાક અને 21 મિનિટ સુધી રહેશે. હિંદુ ધર્મ અનુસાર આ સમયે કેટલીક ચીજો અને કામ કરવાનું વર્જિત માનવામાં આવે છે. આમ તો તે એક ઉપછાયા ચંદ્રગ્રહણ છે એટલે તેનો ખાસ પ્રભાવ રહેશે નહીં પણ તેમ છતાં કેટલીક સાવધાનીઓ રાખવી જરૂરી છે. તો જાણો આ સમયે કઈ ભૂલોને ટાળવી યોગ્ય રહેશે.
આજે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ
ચંદ્રગ્રહણ 4 કલાક અને 21 મિનિટ સુધી રહેશે
ભૂલથી પણ ન કરશો આ 7 કામ
ગ્રહણને ભૂલથી પણ નગ્ન આંખોથી જોવું નહીં અને સાથે ગ્રહણના સમયે ભોજન કરવું અને બનાવવું ટાળવું યોગ્ય છે. ગ્રહણ પત્યા બાદ સ્નાન કરવાથી તેનો પ્રભાવ ઓછો થાય છે.
ચંદ્રગ્રહણ બાદ વાસી ખાવાનું ખાવું કે રાતનું બચેલું ખાવાનું ખાવું નહીં. આ ભોજન પશુઓને આપી દેવું. જો ઘરમાં દૂધની બનેલી વસ્તુઓ હોય તો તેને ફેંકવાને બદલે તેમાં તુલસીના પાન નાંખો.
ગ્રહણ સમયે ગર્ભવતી સ્ત્રીઓએ તેની છાયા અને પ્રભાવથી બચવું. તેની છાયા ગર્ભસ્થ શિશુ પર પડવાનો ડર રહે છે. આ સિવાય ઘરડાં અને પીડિત વ્યક્તિઓએ બહાર જવાનું ટાળવું.
ગ્રહણ સમયે કોઈએ વાળ કે નખ કાપવાં નહીં. કોઈએ મશીન ન ચલાવવું કે સિલાઈનું કામ ન કરવું. આ અશુભ છે. કોઈ અણીદાર પદાર્થનો ઉપયોગ ચપ્પુ, સોય વગેરેનો ઉપયોગ ન કરવો.
ગ્રહણના સમયે કોઈ નવું કે શુભ કામ કરવાની શરૂઆત ન કરવી. જો તમે એમ કરશો તો તમને અસફળતા મળી શકે છે. સાથે ગ્રહણમાં ક્યારેય પતિ પત્નીએ શારીરિક સંબંધો ન બાંધવા.
ગ્રહણ કાળમાં માંસ કે મદિરાના પાનનું સેવન ન કરવું. આ સમયે સૂવાનું ટાળવું એ પણ યોગ્ય છે.
ગ્રહણનો સમય શરૂ થતાં પહેલાં ખાવાની ચીજોમાં તુલસીના પાન નાંખો. તેનાથી ખાવાની વસ્તુઓ પર ગ્રહણનો પ્રભાવ નહીં રહે. યાદ રાખો કે ગ્રહણ કાળમાં તુલસીના પાન તોડવા નહીં.