બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચંડોળા બિનકાયદેસર અને રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓનું એપી સેન્ટર બની ગયું હતું
Last Updated: 05:24 PM, 29 April 2025
Ahmedabad Chandola lake demolition : ચંડોળા તળાવ ડિમોલિશનને લઈને CMની મહત્વની બેઠક પૂર્ણ થઇ ચુકી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત ગૃહમંત્રી ગુજરાત હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. ગુજરાતના ટોચના અધિકારીઓ અને નેતાઓએ ચંડોળા મામલે ચર્ચા કરી હતી. આ અંગે માહિતી આપતા જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે, ચંડોળા તળાવ ડિમોલિશનની કામગીરી ખુબ જ વિસ્તૃત છે આગામી 3-4 દિવસ ચાલશે. ચંડોળા વિસ્તારમાંથી જ 2022 માં 4 આતંકવાદીઓને ઝડપાયા હતા. ચંડોળા તળાવ અમદાવાદની બિનકાયદેસર પ્રવૃતિઓનું હબ બની રહ્યું હતું.
ADVERTISEMENT
બિનકાયદેસર પ્રવૃતિઓનું એપી સેન્ટર હતું ચંડોળા તળાવ
કેટલાક આતંકવાદીઓ બાંગ્લાદેશથી છૂટીને અમદાવાદમાં આવ્યા હતા. તેઓ ચંડોળા વિસ્તારમાં જ રોકાયા હતા. આતંકવાદીઓ અમદાવાદ આવ્યા હોવાની માહિતી મળી હતી. ચંડોળા તળાવ આસપાસ ડ્રગ્સ, દારૂ, દેહવ્યાપાર સહિત અનેક બિનકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હતી. આ બિનકાયદેસર પ્રવૃતિનું એપી સેન્ટર બની ગયું હતું. ગત વર્ષે પણ આ વિસ્તારમાંથી અનેક યુવતીઓને છોડાવવમાં આવી હતી. અગાઉ પણ બેઠક બોલાવી ગેરકાનૂની પ્રવૃતિઓ સામે સ્ટ્રાઇક કરવામાં આવી હતી. તે સમયે પણ 890 જેટલા શંકાસ્પદ જેટલા બંગાળના લોકો ઝડપાયા હતા. જે પૈકી 130 લોકો ગેરકાયદેસર આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ તમામને ડિપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
લાલુ બિહારીનો પરિવાર ચલાવતો અનેક બિનકાયદેસર પ્રવૃતિ
ચંડોળા તળાવમાં લાલુ બિહારી અને તેનો પુત્ર ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને રાખતા હતા. બાંગ્લાદેશીઓને મકાન ભાડે આપવાની પણ કામગીરી ચાલતી હતી. આ ઉપરાંત તેમના નકલી ડોક્યુંમેન્ટ બનાવવા સહિતની બિનકાયદેસર કામગીરી લાલુ બિહારી અને તેના પરિવાર દ્વારા કરવામાં આવતી હતી. સવારથી અલગ અલગ ટીમ બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી. 2 હજાર કરતા વધુ પોલીસ કર્મચારીઓ ડિમોલેશન ઓપરેશનમાં જોડાયા હતા. અત્યારે પણ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે.
દબાણ ન થાય તે જોવાનું કામ કોર્પોરેશનનું છે પોલીસનું નહી
જે લોકોના મકાન પાડવામાં આવ્યા તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હજુ પણ 2 દિવસ સુધી દબાણ હટાવવાની કામગીરી ચલાવવામાં આવશે. તેટલા સમયમાં કામગીરી પુર્ણ નહી થાય તો લંબાઇ પણ શકે છે. જો કે આ સરકારની આ જગ્યા મહાનગરપાલિકા અંતર્ગત આવે છે. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની જવાબદારી છે કે દબાણ ન થાય તે માટે કાર્યવાહી કરે. પોલીસ દબાણ હટાવવાની કામગીરીમાં સહયોગ આપી શકે છે પરંતુ આ કામ પોલીસનું નથી. બાંગ્લાદેશીઓને ડુપ્લીકેટ ડોક્યુમેન્ટને લઈને પણ તપાસ ચાલી રહી છે. જે લોકો બિનકાયદેસર હશે તેમને ડિપોર્ટ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.