બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો, બે દિવસમાં જ આંકડો 58ને પાર અને 20 બાળકોનાં મોત

સાચવજો / ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો, બે દિવસમાં જ આંકડો 58ને પાર અને 20 બાળકોનાં મોત

Last Updated: 10:15 AM, 20 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandipura virus Latest News : ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી સતત ચાંદીપુરાના કેસમાં વધારો, રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં ચાંદીપુરાના કેસનો આંકડો 58ને પાર, જાણો તમારા જિલ્લામાં કેટલા કેસ ?

Chandipura virus : ગુજરાતમાં ચાદીપુરાના કેસમાં બે દિવસમાં વધારો નોંધાયો છે. પ્રાથમિક વિગતો મુજબ આ શંકાસ્પદ વાયરસના કેસનો આંકડો 58 પર પહોંચ્યો છે.. આ સાથે આ શંકાસ્પદ કેસમાં અત્યાર સુધીમાં કુલ 20ના મૃત્યુ થયા છે. નોંધનિય છે કે, અત્યાર સુધી આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના સેમ્પલ પૂના ખાતે મોકલવામાં આવતા હતા. આ સેમ્પલનું પરિણામ આવતા અંદાજિત એક સપ્તાહ જેટલો સમય લાગતો હતો. જોકે હવે આ સુવિધા ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)માં ઉભી કરાઈ છે. જેને લઈ હવે ચાંદીપુરા વાયરસનું ઝડપથી નિદાન થાય અને સારવાર કરી શકાય.

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાથી શરૂ થયેલ ચાંદીપુરા વાયરસના કેસો હવે ધીરે ધીરે રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ સામે આવી રહ્યા છે. આ તરફ હવે સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આરોગ્ય તંત્ર દ્વારા ચાંદીપુરા વાયરસને નિયંત્રિત કરવા માટે લેવાઈ રહેલ પગલાં અંગે સમીક્ષા કરી હતી. આ સાથે હવે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી માટે 104 નંબરની હેલ્પલાઇનની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી સતત ચાંદીપુરાના કેસમાં વધારો

સાબરકાંઠાથી શરૂ થયેલ ચાંદીપુરા વાયરસના કેસો હવે સમગ્ર રાજ્યમાં ફેલાઈ રહ્યા છે. આ તરફ રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં ચાંદીપુરાના કેસનો આંકડો 58ને પાર પહોંચ્યો છે. જો આપણે આ શંકાસ્પદ કેસની વાત કરીએ તો અત્યાર સુધી સાબરકાંઠામાં 8 કેસ, અરવલ્લીમાં 4 કેસ, મહીસાગરમાં 2 કેસ, ખેડામાં 2, મહેસાણામાં 3, રાજકોટમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 2, અમદાવાદમાં 4 કેસ, ગાંધીનગરમાં 4, પંચમહાલમાં 7, જામનગરમાં 5, મોરબીમાં 4, જામનગરમાં 5 કેસ, છોટાઉદેપુરમાં 2, દાહોદમાં 2, વડોદરામાં 1, નર્મદામાં 1, બનાસકાંઠામાં 1, ભાવનગરમાં 1 અને દ્વારકામાં 1 કેસ નોંધાયા છે.

વધુ વાંચો : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, દાહોદમાં બે માસુમના સારવાર દરમિયાન મોત

શું છે આ ચાંદીપુરા વાયરસ ?

ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandipura virus Chandipura virus Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ