કોવિડ સમીક્ષા બેઠક યોજનારા પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંઘને કહેવામાં આવ્યું હતું કે રાજ્યની 891 પ્રાઇવેટ હોસ્પિટલોએ રસીકરણની કામગીરી શરૂ નથી કરી.
કોરોનાના સંકટ વચ્ચે મોટો ઘટસ્ફોટ
પંજાબના સીએમ અમરિન્દર સિંઘે બધી હોસ્પિટલોને રસીકરણમાં ભાગ લેવા કહ્યું
રાજ્યમાં 1291 જેટલી રજિસ્ટર્ડ પ્રાઇવેટ હોસ્પિટલો છે
મહત્વનું છે કે છેલ્લા અમુક દિવસોથી દેશમાં કોરોનાના કેસો બેફામ પણે વધી રહ્યા છે, મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલી મિટિંગમાં પીએમ મોદીએ પણ આ બાબતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ દરમિયાન પંજાબમાં પણ આજકાલ કોરોના સંક્રમણના લીધે સ્થિતિ વણસી રહી છે. પોતાની કોવિડ સમીક્ષા બેઠક દરમિયાન પંજાબના સીએમ અમરિન્દર સિંઘને માહિતી આપવામાં આવી હતી કે રાજ્યમાં રજિસ્ટર્ડ 1291 ખાનગી હોસ્પિટલોમાંથી 891 સંસ્થાઓએ કોરોના રસીનો એક ડોઝ પણ હજુ સુધી કોઈને આપ્યો નથી, ફક્ત 400 હોસ્પિટલોએ આ કામ શરૂ કર્યું છે.
દેશમાં ચાલુ છે રસીકરણ અભિયાન
કોરોના વાયરસ સામે લડવા માટે દેશભરમાં કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો પણ રસીકરણમાં સહકાર આપી રહી છે, પરંતુ પંજાબમાં વધી રહેલા કોરોના કેસો સાથે ચોંકાવનારી માહિતી બહાર આવી હતી કે કોરોના રસીકરણ માટે નોંધાયેલ 891 ખાનગી હોસ્પિટલોએ હજી સુધી રસી આપવાનું શરૂ કર્યું નથી.
રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસો પર કોવિડ સમીક્ષા બેઠક યોજનારા મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંઘને કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં નોંધાયેલા 1291 ખાનગી આરોગ્ય સંસ્થાઓમાંથી 891 હોસ્પિટલોએ કોરોના વેક્સિન આપવાનું શરૂ નથી કર્યું. ફક્ત 400 હોસ્પિટલોએ જ આ કામગીરી શરૂ કરી હતી. આવી સ્થિતિમાં મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્રને આવી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.
પંજાબ સીએમએ કહ્યું છે કે રાજ્ય અને તેના લોકોની સુરક્ષા માટે કોવિડ સામેના યુદ્ધમાં ખાનગી હોસ્પિટલોએ સરકારનું સમર્થન કરવું જોઈએ. તેમણે આરોગ્ય વિભાગને સૂચના આપી કે ખાનગી આરોગ્ય સંસ્થાઓમાં રસીકરણના દરને જાહેર કરવો પણ જરૂરી છે અને તેને વધારે ભાવ વસૂલવા દેવામાં આવશે નહીં.
આ સાથે મુખ્યમંત્રીએ કહ્યું છે કે તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો અઠવાડિયાના સાત દિવસમાં ઓછામાં ઓછા 8 કલાક, વગર કોઈ બ્રેકે 31 માર્ચ સુધી રસીકરણની કામગીરી નિભાવવી પડશે. જો 45 વર્ષથી ઉપરની કોઈપણ લાયક વ્યક્તિ રોગોથી સંબંધિત તબીબી રેકોર્ડ્સ લાવે છે, તો પછી કોઈ અન્ય અલગ પ્રમાણપત્રની આવશ્યકતા ધ્યાનમાં લેવી જોઈએ નહીં.
રસી લેનારા લોકોએ પણ આગળ આવીને પ્રેરણા આપી જોઈએ
મુખ્યમંત્રીએ કહ્યું કે, જોકે બધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલો અઠવાડિયાના સાત દિવસ રસી અપાવતા હોય છે, તે પૂરતું નથી. રાજ્યમાં રસી અપાયેલી તમામ વ્યક્તિઓએ રસીકરણ માટે અપીલ કરવી જોઈએ અને તેના ફાયદા સૂચવવું જોઈએ કે રસી સલામત છે.