પંજાબના ચંદીગઢમાં છેલ્લા 36 કલાકથી વીજળી જતી રહી છે. સાથેજ પાણી પણ લોકો સુધી નથી પહોચી રહ્યું. વીજ વિભાગના ખાનગીકરણને કારણે કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે જેના કારણે આ પરિસ્થિતી સર્જાઈ છે.
ચંદીગઢમાં 36 કલાકથી બત્તી ગુલ
હોસ્પિટલમાં સર્જરીઓ પણ રોકી દેવામાં આવી
વીજળીના ખાનગી કરણને લઈને વિજ કર્મચારીઓ હડતાળ પર
પંજાબના ચંદીગઢમાં વિજ વિભાગના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. જેના કારણે અહીયા છેલ્લા 36 કલાકથી ચંદીગઢમાં વિજળી અને પાણી નથી મળી રહ્યું. સોમવાર સાંજથી મોટા ભાગના ઘરોમાં વિજળી પાણી નથી મળી રહ્યા સાથેજ રસ્તાઓ ઉપર પણ ટ્રાફીક લાઈટો કામ નથી કરી રહ્યા છે.
સર્જરીને મોકૂફ કરવામાં આવી
પરિસ્થિતી અહીયા એટલી ગંભીર થી ગઈ છે કે સરકારી હોસ્પિટલોમાં પણ હાલ સર્જરીને મોકૂફ કરી દેવામાં આવી છે. હોસ્પિટલો પાસે જનરેટર તો છે પરંતુ તેઓ 100 ટકા ભાર જનરેટર પર ન નાખી શકે તેવું તેમનું કહેવું છે. જેથી હોસ્પિટલો દ્વારા સર્જરીને મોકૂફ રાખવામાં આવી છે. આ સીવાય અહિયા ઓનલાઈન ક્લાસ તેમજ કોંચિંગ સંસ્થાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.
ખાનગીકરણને લઈને હડતાળ કરવામાં આવી
આપને જણાવી દઈએ કે વિજ વિભાગના ખાનગીકરણને કારણે કર્મચારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. આ મામલે કેન્દ્ર શાસિત પ્રદેશના સલાહકાર ધર્મપાલે વિજળી કર્મચારી સંઘની સાથે બેઠક કરીને હડતાલને પૂરી કરવા રાજી કર્યો છે. પરંતુ અત્યાર સુધી આ મામલે કોઈ સમાધાન નથી કરવામાં આવ્યું. પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓને ડર છે કે ખાનગીકરણને કારણે તેમની સેવા અને શરતોમાં બદલાવ આવશે સાથેજ વીજળીના દર પણ વધશે.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો હસ્તક્ષેપ
ચંદીગઢ પ્રશાસન દ્વારા આ મામલે આવશ્યક સેવા અનુરક્ષક અધિનિયમ લાગૂ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા પણ હસ્તક્ષેપ કરીને કહેવામાં આવ્યું કે ચંદીગઢના મોટા ભાગના વિસ્તારોમાં વિજળીની અછત જોવા મળી છે. પ્રશાસનના વકીલ અનિલ મહેતા દ્વારા ન્યાયાદીશોને કહેવામાં આવ્યું કે કર્મચારીો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી જેના કારણે વિજળીની અછત સર્જાઈ છે.