કોરોના વાયરસના કારણે કેટલીક જગ્યાઓ પર મોંઘા સેનિટાઈઝર અને માસ્ક મામલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં સુનાવણી થઇ હતી. હરિયાણા, પંજાબ અને ચંડીગઢ તરફથી હાઈકોર્ટમાં સોગંદનામુ કરીને જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન પ્રમાણે અમે ખાતરી આપીએ છે કે મોંઘા સેનિટાઈઝર અને હલકી ગુણવત્તાના માસ્ક હવેથી વેચાશે નહીં.
મોંઘા સેનિટાઈઝર અને માસ્ક વેચવા પર થઇ શકે છે કાર્યવાહી
પંજાબ, હરિયાણા અને ચંડીગઢ હાઈકોર્ટે કર્યો હુકમ
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર વેચવામાં આવે માસ્ક અને સેનિટાઈઝર
હાઈકોર્ટના આદેશ પ્રમાણે તેઓએ ઘણી જગ્યાએ રેડ કરીને સેમ્પલ લીધા હતા, તેમજ દોષીઓ સામે કાર્યવાહી પણ હાથ ધરી હતી. બધાજ પક્ષોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે કહ્યું કે સરકાર આ મામલે સાચી દિશામાં કામ કરી રહી છે.
હાઈકોર્ટે આ મામલે પંજાબ, હરિયાણા અને ચંડીગઢના ખાદ્ય વિભાગના સચિવોને હુકમ કર્યો કે તેઓ આ મામલે તપાસ હાથ ધરે કે 21 માર્ચ 2020 પછીની મેન્યુફેક્ચરિંગ તારીખના 500mlના કોઇપણ સેનિટાઈઝર 250 રૂપિયાથી વધુ કિમતના ન હોવા જોઈએ. હાઈકોર્ટે કેમિસ્ટ શોપ પર પણ તપાસ હાથ ધરવાનો હુકમ કર્યો છે.
હાઈકોર્ટે આ મામલે કહ્યું છે કે, ઘણી જગ્યાઓથી સતત ફરિયાદ મળી રહી છે કે ખુબજ મોંઘા સેનિટાઈજર અને હલકી ગુણવત્તાના માસ્ક વેચવામાં આવી રહ્યા છે. તેવામાં આ બનાવનાર મેન્યુફેક્ચરર અને તેને વેચનાર લોકો પર તપાસ હાથ ધરી જરૂરી કાર્યવાહી કરવી જરૂરી છે. કેમ કે, કેન્દ્ર સરકારે 21 માર્ચે પરિપત્ર જાહેર કરીને જણાવી દીધું હતું કે 200ml સેનિટાઈજરના 100રૂપિયા અને 500ml સેનિટાઈઝરના 250 રૂપિયાથી વધુ કિંમત લઇ શકાશે નહીં. જે આવું કરશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.