કોરોના વાયરસના કારણે વિશ્વમાં કોહરામ મચી રહ્યો છે. કોરોના વાયરસને નાથવા માટે દેશમાં વડાપ્રધાન દ્વારા લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે. લોકોને ઘરની બહાર ન નીકળવા માટે વિનંતી કરવામાં આવે છે છતાં ઘણા લોકૉ ઉલ્લંઘન કરીને ઘરની બહાર નીકળે છે ત્યારે આવા લોકો માટે સરકારે રસ્તો શોધી કાઢ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરતા દરેકને હવે અસ્થાયી જેલમાં નાખી દેવામાં આવશે.
ચંડીગઢમાં બનાવવામાં આવી અસ્થાયી જેલ
કર્ફ્યુંનું ઉલ્લંઘન કરતા લોકો માટે બનવવામાં આવી જેલ
ગુજરાતમાં કોરોના વાયરસનાં કુલ પોઝિટિવ કેસ વધીને 38 થયા
ચંડીગઢમાં નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો માટે સરકારે ક્રિકેટ સ્ટેડીયમને જ જેલમાં ફેરવી નાખી છે. આ અસ્થાયી જેલમાં ઘરની બહાર નીકળતા લોકોને રાખવામાં આવશે. આ સ્ટેડીયમ કપિલ દેવ, હરભજન સિંહ અને યુવરાજ સિંહ જેવા દિગ્ગજ ખેલાડીઓનું હોમ ગ્રાઉન્ડ છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે ચંડીગઢમાં સેકટર 16માં અસ્થાયી રૂપે જેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં કર્ફ્યુંનું ઉલ્લંઘન કરતા લોકોને રાખવામાં આવશે.
20 હજાર લોકોની ક્ષમતા ધરાવતું આ ક્રિકેટ સ્ટેડીયમ 15 એકરમાં ફેલાયેલું છે. કર્ફ્યુંનું ઉલ્લંઘન કરતા લોકોને કલમ 188 હેઠળ આ જેલમાં લાવવામાં આવશે.
ભારતમાં કોરોના વાયરસના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. ગુજરાતમાં સવારે 12 વાગે કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 38 પર પહોંચી ગઈ છે. ગુજરાત પોલીસ દ્વારા ઠેર ઠેર લોકડાઉનનું પાલન કરવવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તથા ઘરથી નીકળતા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસનો સંક્રમણ રોકવા માટે આપણે સૌએ પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખવા ઘરમાં જ રહેવું જોઈએ.