રાજકારણ / ખેડૂત આંદોલનની અસર : પૂર્વ CM હુડ્ડાએ કહ્યું ભાજપ- જેજેપી સરકારની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીશું

chandigarh city former cm bhupinder singh hudda said will bring no confidence motion against bjp jjp govt

કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદાની વિરુદ્ધ અનેક દિવસોથી ધરણા પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને લઈને દેશભરમાં રાજકારણ ગરમાયું છે. હરિયાણામાં આને લઈને વિભિન્ન દળોના નેતાએ હવે સરકારની વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે. હરિયાણાની ભાજપ- જેજેપી (BJP-JJP Government)ના સમર્થન આપનારા નિર્દલીય ધારાસભ્યએ ગત દિવસોમાં આ ક્રમમાં પશુધન વિકાસ બોર્ડની પોસ્ટ પણ છોડી દીધી હતી. ત્યારે હવે કોંગ્રેસ પણ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની આગેવાનીની સરકાર પર પ્રહાર કરી રહી છે. કોંગ્રેસ નેતા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દરસિંહ હુડ્ડાએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આંદોનલના મુદ્દા પર ખટ્ટર સરકાર પર પ્રહાર કરી રહી છે. હુડ્ડાએ રાજ્યપાલને આ મુદ્દાને લઈને વિધાનસભાની વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી હતી. અને કહ્યું હતું કે ભાજપ જેજેપી સરકાર ખેડૂતોની સાથે સાથે સામાન્ય લોકોનો વિશ્વાસ પણ ગુમાવી ચૂકી છે. એટલા માટે કોંગ્રેસ વિધાનસભામાં સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવશે.

બ્રેકિંગ ન્યૂઝ