ખેડૂત આંદોલને હરિયાણાના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. કોંગ્રેસનો દાવો છે કે હરિયાણામાં ખટ્ટર સરકાર સંકટમાં છે. કોંગ્રેસનું માનીએ તો ભાજપ અને જજપાના અનેક ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ કુમારી શૈલજાનું કહેવું છે કે હરિયાણાની ખટ્ટર સરકારનાં ઘણા આવા ધારાસભ્યો છે જે હકિકતને જોઈ રહ્યા છે અને અમારા સંપર્કમાં છે. જ્યારે પરિસ્થિતિઓ ઉભી થશે તો સંવિધાનને જોતા હરિયાણામાં ફરી કોંગ્રેસ સરકાર બનાવવાનો પ્રયાસ કરી શકે છે.
આગળ જે પણ સ્થિતિ હશે તે પ્રમાણે કોંગ્રેસ નિર્ણય લેશે.
BJP અને JJP ગઠબંધનના પ્રમુખ નેતાઓએ કરી હતી અમિત શાહની મુલાકાત
કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈને સાવધાન રહે.- ખટ્ટર
કુમારી શૈલજાએ કહ્યું કે આજે જે સ્થિતિ પૈદા થઈ છે તેમાં ઘણા ધારાસભ્યો આની હકિકતને ઓળખી રહ્યા છે. એ પછી સત્તારક્ષ હોય કે તેમના સહયોગી કે પછી નિર્દલીય. કુમારી શૈલજાનું કહેવું છે કે એવા અનેક ધારાસભ્યો છે જે તેમની સાથે વાત પણ કરે છે અને પોતાની નારાજગી પણ દર્શાવે છે. તેમણે કહ્યું કે આગળ જે પણ સ્થિતિ હશે તે પ્રમાણે કોંગ્રેસ નિર્ણય લેશે.
સીએમ ખટ્ટરનો પલટવાર
કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષના આ દાવા પર હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પ્રતિક્રિયા આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે બધાને ખબર છે કે કોણ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. મારુ ફક્ત એટલું જ કહેવું છે કે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈને સાવધાન રહે.
BJP અને JJP ગઠબંધનના પ્રમુખ નેતાઓએ કરી હતી અમિત શાહની મુલાકાત
ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલનની વચ્ચે ભાજપા અને જજપા ગઠબંધનના પ્રમુખ નેતાઓએ મંગળવારે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત કરી હતી. ભાજપા-જજપા નેતાઓએ આ મુલાકાતમાં અમિત શાહને આશ્વાસન આપ્યુ હતું કે રાજ્યમાં મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ દ્વારા બજેટ સત્ર દરમિયાન જો વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે છે. જો પણ ગઠબંધનની સરકાર સુરક્ષિત રહેશે
સીએમ ખટ્ટરે કરી હતી આ વાત
મુખ્યમંત્રી મનોહર લાલે અમિત શાહની સાથે લગભગ એક કલાક ચાલેલી બેઠક બાદ કહ્યું હતું કે હરિયાણામાં રાજનીતિક વાતાવરણ એકદમ સારુ છે. રાજ્યમાં રાજનીતિક અટકળો લગાવાઈ રહી છે કે તેમનામાં કોઈ દમ નથી. ગઠબંધનની સરકાર પૂરા વિશ્વાસની સાથે ચાલી રહી છે અને પોતાનો કાર્યકાળ પુરો કરશે.