કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું હલ્લાબોલ ચાલુ છે. ખેડૂતો સરકારને કૃષિ કાયદો પરત લેવાની માગણી કરી રહ્યા છે. નોંધનીય છે કે, છેલ્લા 6 દિવસથી બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો આવી પહોંચ્યા છે અને આંદોલન ચલાવી રહ્યા છે. આ વચ્ચે મંગળવારે સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત થઈ હતી જે આશરે 3 કલાક ચાલી હતી પરંતુ કોઇ ચોક્કસ ઉકેલ આવી શક્યો નથી.
દિલ્હીમાં ખેડૂતોના નેતા સાથે 3 કલાક સુધી સરકારે કર્યું મંથન
ખેડૂત નેતાએ કહ્યું સરકાર પાસેથી કાઇક તો લઇને જ પરત ફરીશું
ઉલ્લેખનીય છે કે, સરકાર ખેડૂતોને મનાવવા માટેના અનેક પ્રયાસો કરી રહી છે પરંતુ ખેડૂતો પોતાની જ વાત પર ટસના મસ થઇ રહ્યા નથી. બેઠક બાદ ખેડૂત નેતાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અહીં સુધી આવ્યા છીએ તો સરકાર પાસેથી કાઇક તો જરૂર લઇશું પછી તે બૂલેટ હોય કે પછી શાંતિપૂર્ણ સમાધાન.
સરકાર સાથેની વાતચીતનો હિસ્સો બનેલા ખેડૂત નેતા ચંદા સિંહે કહ્યું હતું કે, કૃષિ કાયદાની વિરૂદ્ધ અમારું આંદોલન યથાવત રહેશે અને અમે અહીં સુધી આવ્યા જ છીએ તો પછી કાંઇક તો લઇને જ જંપીશું.
Our movement against Farm Laws will continue & we'll definitely take back something from the Govt, be it bullets or a peaceful solution. We'll come back for more discussions with them: Chanda Singh, Member of Farmers' Delegation who met Union Agriculture Minister in Delhi today pic.twitter.com/YgenF7koXN
આશરે 3 કલાકની ખેડૂતો અને સરકારના પ્રતિનિધીઓની મીટિંગ બાદ કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નહોતો અને ખેડૂતના નેતાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આંદોલન ચાલુ રહેશે અને આગામી ગુરુવારના રોજ સરકાર સાથે ફરી એકવાર બેઠક યોજાશે. તો કેન્દ્રિય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે તો ખેડૂત ભાઇઓને આંદોલન સમેટી લેવા માટે અપીલ કરી રહ્યા છીએ. અમે તમામ મુદ્દે વાતચીત કરવા માટે તૈયાર છીએ.
સિંઘુ સરહદે ખેડૂતો અડગ
મહત્વનું છે કે ખેડૂતોનું આંદોલન કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહ્યું છે અને તેઓ સિંઘુ સરહદ પર અટવાઈ ગયા છે. આજે ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે વાટાઘાટો થઈ રહી છે, જેના પર દરેકની નજર છે. ખેડૂતોના આ આંદોલનને લગભગ એક અઠવાડિયું થયું છે. આ અગાઉ સરકારે વાટાઘાટો માટે ખેડૂતોને 3 ડિસેમ્બરની તારીખ આપી હતી, પરંતુ સરકારે ભારે દબાણ સામે નમવું પડ્યું હતું અને બે દિવસ પહેલા ખેડૂતો સાથે વાતચીત કરવી પડી હતી.
ખેડૂતોએ મીટિંગમાં કહ્યું અમારું ભલું ન કરો
સૂત્રોના જણાવ્યા મુજબ ખેડૂત સંગઠનના પ્રતિનિધિએ કહ્યું હતું કે તમે એવો કાયદો લાવ્યો છે કે અમારી જમીનો મોટા કોર્પોરેટ લઇ લેશે, તેમાં કોર્પોરેટને ન લાવો. હવે સમિતિ રચવાનો સમય નથી. તમે કહો છો કે તમે ખેડૂતોનું ભલું કરવા માંગો છો, અમે કહી રહ્યા છીએ કે તમે અમારું ભલું ન કરો. પરંતુ આ કાયદો હટાવી દો.
સમિતિ બનાવાની સરકારે કરી વાત, ખેડૂતોએ પ્રસ્તાવ ફગાવ્યો
સરકારે ખેડુતોના નેતાઓને નવા કૃષિ કાયદા અંગે ચર્ચા કરવા અને તમારી સમિતિના 4-5 લોકોના નામ જણાવવા અને એક સમિતિની રચના કરવા કહ્યું જેમાં સરકાર અને કૃષિ નિષ્ણાતોના પ્રતિનિધિઓ પણ હશે. જોકે ખેડૂતોએ સમિતિ બનાવવાનો પ્રસ્તાવ ફગાવ્યો હતો અને કૃષિ કાયદો પરત લેવા પર ભાર આપ્યો હતો.
બાબા રામદેવે આપ્યું નિવેદન
બાબા રામદેવે કહ્યું કે કૃષિ કાયદા અંગે મૂંઝવણ ફેલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે MSP અને APMC સિસ્ટમ નાબૂદ કરવાની કોઈ વાત નથી. યોગ ગુરુએ કહ્યું કે, જો ખેડૂતોને તેમને તેમના દરવાજા પર જ સારો ભાવ મળી રહે તોતો તેમાં શું ખોટું છે.
કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે ખેડૂતોનું આંદોલન ચાલુ છે. તે જ સમયે, સરકારે કૃષિ કાયદા અંગે ખેડૂતોને મનાવવાનું શરૂ કર્યું છે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ખેડૂતો અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઇ રહી છે. દરમિયાન યોગ ગુરુ બાબા રામદેવે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારથી ચૂક થઈ છે, સરકારે ખેડુતોને કૃષિ કાયદા પર માહિતગાર કરવા પડશે.બાબા રામદેવે કહ્યું કે કૃષિ કાયદા અંગે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. ખેડૂતોને સારા ભાવ મળી રહે તો તેમાં ખોટું શું છે તેવું તેમણે જણાવ્યું હતું.
સરકાર સમજાવવામાં નિષ્ફળ ગઈ : બાબા રામદેવ
બાબા રામદેવ કહે છે કે કેન્દ્ર સરકાર કૃષિ કાયદાના ફાયદા સમજાવવામાં નિષ્ફળ ગઈ છે. ખેડૂતોને માહિતી આપવાની જરૂર છે. લોકો કૃષિ કાયદા પર અફવા ફેલાવવા માગે છે. યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે પીએમ મોદી કોઈ કોર્પોરેટ હાઉસ અને MNCના ગુલામ નથી. કેમ તેમની સામે ખેડૂતોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.