બંગાળની ખાડીમાં ઓછા પ્રેશરના કારણે હવે ચક્રવાતી તૂફાન વધારે શક્તિશાળી બન્યું છે. શક્ય છે કે આજે તેમાં થોડો બદલાવ આવે. હવામાન વિભાગમાંથી મળતી માહિતિ અનુસાર તેનું કેન્દ્ર પારાદીપથી લગભગ 950 કિમીના અંતરે છે. બુધવાર સુધી તે વધારે સક્રિય થઈને તૂફાન રૂપે વરસે તેવી સંભાવના છે.
ઓડિશામાં ચક્રવાતી તૂફાનની આશંકા
આવનારા 24 કલાક સ્થાનિકો માટે જોખમી
ભયના માહોલમાં રહે છે સ્થાનિકો
હવામાન વિભાગ તરફથી મળતી માહિતિ અનુસાર ચક્રવાતી તૂફાનને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ચક્રવાત તૂફાનમાં ફેરવાશે તો ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટની તરફ જશે. તૂફાન કઈ જગ્યા પર અથડાશે તેને માટે કંઈ કહી શકાય તેમ નથી. પરંતુ તેની અસર 8 તારીખે ઓડિશાના તટીય વિસ્તારોમાં જોવા મળી શકે છે.
માછીમારોને ખાસ સૂચના
ચક્રવાતને લઈને ઓડિશા અને પશ્ચિમ બંગાળના માછીમારોને દરિયો ન ખેડવાની ખાસ સૂચના આપવામાં આવી છે. આ તૂફાન હાલમાં ફણિની જેમ ખતરનાક નથી. ઉલ્લેખનીય છે કે 3 મેના રોજ આવેલા ફણિ તૂફાનના કારણે અહીં લગભગ 64 લોકોના મોત થયા હતા. પરંતુ આ તૂફાન જોનારા લોકો હવે ચક્રવાતને લઈને ભય અનુભવી રહ્યા છે.