ચાણક્ય નીતિમાં જીવન સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ વ્યવહારિક વાતો પણ જણાવવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે પુરૂષોએ કયા સમયે મહિલાઓ તરફ ના જોવુ જોઈએ.
ચાણક્ય નીતિમાં જીવન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો જણાવવામાં આવી
મહિલા અને પુરૂષે કયા પ્રકારનું આચરણ કરવુ જોઈએ
પુરૂષોએ આ સમયે મહિલાઓને ના જોવી જોઈએ
ચાણક્ય નીતિમાં કરાયો છે ઉલ્લેખ
ચાણક્ય નીતિમાં અર્થશાસ્ત્ર, કૂટનીતિ, રાજનીતિ સિવાય સામાજીક જીવન સાથે જોડાયેલી વ્યવહારિક વાતો પણ જણાવવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મહિલા અને પુરૂષે ક્યા પ્રકારનુ આચરણ કરવુ જોઈએ. જેમાં એવુ પણ જણાવવામાં આવ્યું છે કે જ્યારે મહિલા કોઈ ખાસ પ્રકારના કામ કરી રહી છે તો પુરૂષોએ મહિલા તરફ ના જોવુ જોઈએ.
મહિલાઓ આ કામ કરતી હોય ત્યારે પુરૂષોએ બિલ્કુલ ના જોવુ જોઈએ
ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ મહિલા ભોજન કરી રહી છે તો પુરૂષે તેની તરફ ના જોવુ જોઈએ. આ શિષ્ટાચારની વિરુદ્ધ છે. આમ કરવાથી મહિલા અસ્વસ્થતા અનુભવે છે અને સારી રીતે ભોજન કરી શકતી નથી.
જો કોઈ મહિલા છીંક ખાઈ રહી છે અથવા બગાસુ ખાઈ રહી છે ત્યારે પણ પુરૂષે તેની તરફ ના જોવુ જોઈએ.
જો મહિલા તેના કપડા સરખા કરી રહી છે, એવા સમયે પણ પુરૂષે તેની તરફ ના જોવુ જોઈએ. આવુ કરવુ ખોટુ છે. આવા સમયે પુરૂષે પોતાની મર્યાદાને ધ્યાનમાં રાખીને તેની નજર ત્યાંથી હટાવી લેવી જોઈએ.
જ્યારે કોઈ મહિલા પોતાની તેલ માલિશ કરી રહી છે, બાળકને સ્તનપાન કરાવી રહી છે અથવા બાળકને જન્મ આપી રહી છે, આ સ્થિતિમાં પુરૂષે બિલ્કુલ પણ મહિલા તરફ ના જોવુ જોઈએ.
જ્યારે કોઈ મહિલા આંખમાં કાજલ લગાવી રહી છે અથવા શ્રૃંગાર કરી રહી છે તો પુરૂષે તેની તરફ ના જોવુ જોઈએ. પુરૂષે આ સમયે મહિલાને જોતા તેનુ ધ્યાન ભટકાવી શકે છે. સારું રહેશે કે પુરૂષ આ સમયમાં ત્યાંથી હટી જાય.