ચાણક્ય નીતિમાં અમુક એવા કામ અંગે જણાવવામાં આવ્યું છે, જેને કરવાથી માં લક્ષ્મી નારાજ થાય છે. ત્યાં સુધી કે આ કામ ધનવાન માણસને પણ થોડા સમયમાં ગરીબ બનાવી શકે છે.
આચાર્ય ચાણક્યની આ નીતિઓનુ કરો પાલન
પાલન કરવાથી નહીં થાય મોટુ નુકસાન
માં લક્ષ્મી તમારી પર રહેશે મહેરબાન
ચાણક્ય નીતિનુ પાલન કરવાથી મોટા નુકસાનથી બચશો
આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ સંપૂર્ણ રીતે પ્રાસંગિક છે અને તેનુ પાલન કરવાથી માણસ મોટા નુકસાનોથી બચી શકે છે. આજે અમે કેટલીક એવી ચાણક્ય નીતિ અંગે વાત કરીશુ જેનો સંબંધ સીધો પૈસા સાથે છે. જો આ નીતિઓનુ પાલન ના કરવામાં આવે તો ધનવાન માણસ પણ કંગાળ બની જાય છે.
હંમેશા આ કામથી બચો
ચાણક્ય નીતિમાં જણાવવામાં આવેલા આ 5 કામથી હંમેશા દૂર રહેશો તો માં લક્ષ્મી તમારી પર મહેરબાન થશે. નહીંતર ધનની દેવીને નારાજ થવામાં સમય નહીં લાગે.
ચાણક્ય નીતિ કહે છે કે કોઈ પણ ભોજનની બરબાદી ના કરશો. જેનાથી માં અન્નપૂર્ણા નારાજ થાય છે અને આ માં લક્ષ્મીનુ જ સ્વરૂપ છે. અન્નની બરબાદી કરવાથી માણસ જલ્દી ગરીબ થાય છે.
ક્યારેય પણ બીજાના રૂપિયા દગાથી ના લેશો. અનૈતિક રીતે કમાવવામાં આવેલો રૂપિયો માં લક્ષ્મીને નારાજ કરે છે અને તેનાથી તેઓ નારાજ થાય છે.
જે લોકો દાન કરતા નથી તેના પૈસા ખત્મ થાય છે. હંમેશા તમારી આવકનો એક ભાગ જરૂરીયાતમંદોને દાન કરો.
ઘરમાં ઝગડા ના કરશો. જે ઘરમાં લોકોની વચ્ચે પ્રેમ ના હોય ત્યાંથી માં લક્ષ્મી નારાજ થઇને જતી રહે છે. જો ધનવાન બનવા માંગો છો તો ઘરમાં શાંતિ અને પ્રેમ રાખો.
ક્યારેય પણ આળસ ના કરશો. આળસુ લોકો માં લક્ષ્મીને અપ્રિય હોય છે. આળસુ માણસો સાથે માં લક્ષ્મી ક્યારેય રહેતી નથી. જે સ્વચ્છતા રાખતા નથી અને મહેનત કરતા નથી, એવા માણસો સાથે માં રહેતી નથી.