ચાણક્યએ એક એવુ ગુપ્ત ધન જણાવ્યું છે, જે દરેક માણસની પાસે હોય છે. જેને વહેંચવાથી આ ઘટતુ નથી પરંતુ વધુ વધે છે.
આચાર્ય ચાણક્યએ ગુપ્ત ધન વિશે જણાવ્યું
જો આ ગુપ્ત ધન હોય તો માણસ દરેક મુશ્કેલીમાંથી નિકળે છે બહાર
ગુપ્ત ધનને વહેંચવાથી માણસની પાસે વધુ ધન આવે છે
આ છે સૌથી મોટુ ગુપ્ત ધન
આચાર્ય ચાણક્ય મહાન અર્થશાસ્ત્રી, રાજકારણી અને વિદ્વાન માનવામાં આવે છે. માણસની પ્રગતિની સાથે સમાજના કલ્યાણ માટે તેમની નીતિઓને જીવનમાં અપનાવવી જરૂરી છે. આચાર્ય ચાણક્ય મુજબ જો માણસની પાસે ધન છે તો તે મોટા પડકારને પણ પાર કરી શકે છે, પરંતુ ધનની સાથે તેમણે એક એવુ ગુપ્ત ધન જણાવ્યું છે, જે દરેક માણસની પાસે હોય છે.
આચાર્ય ચાણક્ય કહે છે કે વિદ્યા સૌથી મોટુ ગુપ્ત ધન છે. જ્ઞાન ક્યારેય પૂર્ણ થતુ નથી. તેને તમે ઈચ્છો તેટલુ શેર કરો. શ્લોક દ્વારા ચાણક્યએ વિદ્યાની તુલના કામધેનુ ગાય સાથે કરી છે. જે પ્રકારે કામધેનુ ગાય ક્યારેય પણ ફળ આપવાનુ બંધ કરતી નથી. તે રીતે જ્ઞાનનુ આદાન પ્રદાન કરવાથી તે ક્યારેય સમાપ્ત થતુ નથી. વિદ્યા વહેંચવાથી વધે છે.
જ્ઞાનની તુલના ચાણક્યએ માં સાથે કરી છે, જે પોતાના બાળકની ડગલેને પગલે રક્ષા કરે છે. વિદ્યાના કારણે માણસ દરેક મુશ્કેલીમાંથી નિકળી શકે છે. ચાણક્ય મુજબ જ્ઞાન એવુ ગુપ્ત ધન છે, જે વહેંચવાથી પૂર્ણ થતુ નથી. વિદ્યા માત્ર એક એવી વસ્તુ છે, જે માઠા સમયે પણ સારું ફળ આપે છે અને અંધારામાંથી પ્રકાશ તરફ લઇ જાય છે.
આત્મજ્ઞાન થતાં તેને પોતાના સુધી મર્યાદિત રાખવુ યોગ્ય નથી. જ્ઞાનને અન્ય લોકો સાથે શેર કરતા સમાજનુ કલ્યાણ થાય છે. શિક્ષિત થવાથી માણસનુ ભલુ થાય છે, પરંતુ અનેક પેઢીઓનુ ભવિષ્ય સુધરી જાય છે.