ચમોલી આફતને 14 દિવસ પુરા થઈ ગયા છે. અત્યાર સુધીમાં 65 લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે. . અત્યારે 142 લોકો ગુમ છે
અહીં મૃતદેહોના વહી આવવાની શક્યતા છે
અહીં 25થી 35 લોકો દબાયેલા હોવાનું અનુમાન છે.
180 મીટરની આ ટર્નલને 145 મીટર સુધી સાફ કરી દેવામાં આવી
અત્યાર સુધીમાં 65 લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે
અહીં 25થી 35 લોકો દબાયેલા હોવાનું અનુમાન છે
ચમોલી વિનાશને 14 દિવસ પુરા થઈ ગયા છે. અત્યાર સુધીમાં 65 લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે. જેમાંથી 34 લોકોની ઓળખ થઈ ચૂકી છે. 31 લોકોની લાશની ઓળખ થઈ શકી નથી. આના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યારે 142 લોકો ગુમ છે. આફતમાં 12 ગામ અસરગ્રસ્ત થયા છે. જેમાં 465 પરિવારને અસર પહોંચી છે. તમામ જગ્યાએ આવનજાવન, વીજળી, પાણીના વિકલ્પની વ્યવસ્થા ચાલુ કરી દેવામાં આવી છે. આવનજાવન માચે ધોલીગંગા પર ભંગ્યૂલ, જુવાગ્વાડ ગામ અને રેણીમાં 3 જગ્યાએ ટ્રોલિયો લગાવવામાં આવી છે. તપોવન સાઈટ પર ટર્નલથી અત્યાર સુધી 13 લાકો મળી ચૂકી છે. અહીં 25થી 35 લોકો દબાયેલા હોવાનું અનુમાન છે.
180 મીટરની ટર્નલને 145 મીટર સુધી સાફ કરી દેવામાં આવી
180 મીટરની આ ટર્નલને 145 મીટર સુધી સાફ કરી દેવામાં આવી છે. સતત મળમાં સ્લગના રુપમાં હોવાના અને બેકફ્લોના કારણે ઓપરેશનમાં સમસ્યા થઈ રહી છે. ટર્નલમાંથી પાણી કાઢવા માટે પંપ લગાવવામાં આવ્યા છે. પહેલા પાણીને બહાર કાઢવામાં આવી રહ્યું છે અને પછી ટર્નલમાં કિચડ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. અહીં એનડીઆરએફ અને ટર્નલમાં ખોદકામ કરી રહેલા હિન્દુસ્તાન કન્ટ્રક્શન કંપનીના કર્મચારીઓને મોટી સમસ્યા થઈ રહી છે. બીજી તરફ ટર્નલ સાથે લોગેલા ડિસેલ્ટિંગ ચેમ્બરમાં ભરાયેલા સ્લગને પણ પંપના માધ્યમથી કાઢવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે. ડિસેલ્ટિંગ ચેમ્બરમાંથી 100થી વધારે લોકોના દબાયેલા હોવાની આશંકા છે. પરંતુ અહીં 15થી 20 મીટર સુધીનું કિચડ છે. જ્યાં સુધી કિચડ સૂકાઈ નથી જતો ત્યાં સુધી અહીં જેસીબી મશીન નાંખી શકાય નહીં.
અહીં મૃતદેહોના વહી આવવાની શક્યતા છે
એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ ધૌલીગંગા કિનારા પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. અહીં મૃતદેહોના વહી આવવાની શક્યતા છે બીજી તરફ ધૌલીગંગાના ટોપ પર પેંગ ગામથી લાગેલા ક્ષેત્રમાં બનેલી ઝીલનું પણ રાજ્ય સરકાર મોનિટરિંગ કરી રહી છે. શુક્રવારે એર ફોર્સના ચોપરના માધ્યમથી અહીં નિર્દેશક જીએસઆઈ, વાડિયા ઈંસ્ટીટ્યૂટના જિયોલોજિસ્ટ, એક સાયન્ટિસ્ટ અને એસડીઆરએફના બે જવાનોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. આ ટીમ શનિવારે તળાવનું નિરિક્ષણ કરવાની સાથે તેનો અભ્યાસ પણ કરશે.