આમ તો પૂરા હિમાચલ પ્રદેશને જ સૌભાગ્ય પ્રાપ્ત છે કે એના દરેક ગામ અને નગરમાં દેવી દેવતાઓનો વાસ છે. પરંતુ જિલ્લા ચંબાને વિશેષ રૂપથી દેવભૂમિ કહેવામાં આવે છે. અહીંયા અનેક ઐતિહાસિક અને પ્રસિદ્ધ ધર્મસ્થળ છે. જેમાંથી એક ભલેઇનું ભદ્રકાળી મંદિર પણ છે. આ મંદિર બનીખેતથી 35 કિલોમીટર દૂર અને ચંબાથી લગભગ 28 કિલોમીટર દૂર છે.
કહેવામાં આવે છે કે લગભગ 450 વર્ષ પૂર્વ મા ભદ્રકાળી માતૃલોકમાં પ્રકટ થઇ હતી. 1569 ઇસ્વીમાં ચંબા રિયાસતના રાજા પ્રતાપ સિંહને મા જગદમ્બાને સપનામાં કહ્યું હતું કે એ ભદ્રકાળી સ્વરૂપ છે અને ભ્રાણ નામના ગામમાં બાવડીની નજીક એક પથ્થર પર ઊભી છે. પથ્થરની નીચે ધનનો ભંડાર પણ છે જેનો પ્રયોગ મંદિર નિર્માણ યજ્ઞ પ્રતિષ્ઠા અને રાજકાર્યમાં જ કરવામાં આવે. સપનામાં એવી પણ ચેતાવણી આપવામાં આવી છે કે મંદિરમાં મહિલાઓનો પ્રવેશ વર્જિત રહેશે.
કહેવાય છે કે રાજાએ સાંભળેવી વાત સાચી પડી અને એ માતાની પ્રતિમાને સોનાની પાલખીમાં સજાવીને ભલેઇ લઇ જવામાં આવી. વિશ્રામ ઉપરાંત જ્યારે પાલખીને ઊઠાવવામાં આવે તો પાલખી ત્યાં સ્થિર થઇ ગઇ. ત્યારે આકાશવાણી થઇ 'હે રાજન! હવે હું ચંબા જઇશ નહીં મારું મંદિર અહીં બનાવવામાં આવે.'
રાજા પ્રતાપે એવું કર્યું અને ત્યારથી લઇને અત્યાર સુધી ભલેઇ મંદિર ખૂબ જ ભવ્ય રૂપ ધારણ કરી ચુક્યું છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન અહીંયા અભૂતપૂર્વ પ્રગતિ થાય છે અને પાર્કિંગ એરિયાની સાથે સાથે મંદિરનો પ્રવેશ દ્વારની બહાર બનેલા વારાદેવમાં નવા શેડ નાંખવામાં આવ્યા. મંદિરમાં મા ભદ્રકાળી ની લગભગ 2 ફુટ ઊંચી ઘાતુની પ્રતિમા સ્થિત છે અને શ્રદ્ધાળુઓને વિશ્વાસ છે કે શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવાથી માં ની પ્રતિમાથી પરસેવો નિકળે છે.