મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાશે. ચૂંટણીના થોડાક જ મહીના પહેલા રાજ્યના વરિષ્ઠ નેતા બાલાસાહેબ થોરાટને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવાયા છે. એવામાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સામે ઘણા પડકાર છે. કોંગ્રેસ સામે મોટો પડકાર તમામ નેતાઓને એક સાથે લાવવાની રહેશે.
હાલ મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ અલગ-અલગ જુથોમાં વંહેચાઇ ગયા છે. તેથી જ મહારાષ્ટ્રમાં જ્યાં દૂકાળ અને ખેડૂતોની આત્મહત્યા અને લોકોની મુશ્કેલીઓ વચ્ચે પણ રાજ્યમાં કોંગ્રેસ માંડ એક બેઠક જીતી શકી હતી. ઉપરાંત વિપક્ષના નેતા રહેલા રાધા કૃષ્ણ વિખે પાટિલના બીજેપીમાં સામેલ થયા બાદ કોંગ્રેસ નેતાઓને બીજેપીથી દૂર રાખવા એક મોટો પડકાર બની રહેશે.
બીજો પડકાર સહયોગી પાર્ટી એનસીપીને સાથે સંબંધ જાળવી રાખવો. કોંગ્રેસે હજુ સુધી એનસીપી સાથે પણ બેઠકોની વહેંચણી કરી નથી. સૂત્રોનું માનીએ તો એનસીપી બેઠકોની વંહેચણીમાં થઇ રહેલા વિલંબથી નારાજ છે. આ ઉપરાંત લોકસભામાં ચૂંટણીમાં પ્રકાશ આંબેડકરની પાર્ટી વંચિત બહુજન અઘાડીને કારણે લગભગ 10 બેઠકોમાં થયેલા નુકશાન બાદ પણ પાર્ટીએ હજુ સુધી પ્રકાશ આંબેડકરને પોતાની સાથે જોડી શકી નથી. જેણે વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ માટે મોટી મુશ્કેલીઓ ઉભી કરી દીધી છે.
શનિવારે સાંજે એક એલાન બાદ કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટને મહારાષ્ટ્ર કોંગ્રેસના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં મળેલ કારમી હાર બાદ અશોક ચૌહાણે આ પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. જોકે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પણ માને છે કે નવા અધ્યક્ષને ચૂંટવામાં વિલંબ કરવામાં આવ્યો છે. જોકે તેમની નિયુક્તિને લઇને પણ પાર્ટીના કાર્યકર્તાઓમાં વિરોધની સ્થિતિ છે.