ખેડૂત સંગઠનના નેતાઓએ સિંધુ બોર્ડર પર સંમેલનમાં કહ્યું છે કે તેઓ 6 ફેબ્રુઆરીએ બપોરે 12-3ના સમયમાં ચક્કાજામ કરશે. તેઓએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય બજેટમાં ખેડૂતની અવગણના કરાઈ છે.
ખેડૂત સંગઠનોએ કરી જાહેરાત
6 ફેબ્રુઆરીએ દેશભરમાં 3 કલાક માટે થશે ચક્કાજામ
કેન્દ્રીય બજેટમાં ખેડૂતની અવગણના
ખેડૂત યૂનિયને 6 ફેબ્રુઆરીએ દેશમાં ચક્કાજામની જાહેરાત કરી છે. તેઓ આંદોલનના સ્થળની નજીકમાં જ્યાં ઈન્ટરનેટ પ્રતિબંધ છે અને અધિકારીઓ દ્વારા કહેવાતી રીતે હેરાન કરવાની અને સાથે કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરશે. યૂનિયનના સંવાદદાતાએ સંમેલનમાં કહ્યું કે તેઓ બપોરે 12-3ના સમયમાં ચક્કાજામ કરશે. તેઓએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય બજેટમાં ખેડૂતની અવગણના કરાઈ છે. તેમના વિરોધના સ્થળે વીજળી ્ને પાણીનો સપ્લાય પણ બંધ કરાયો છે.
6 फरवरी को पूरे देश में दिन में 12 बजे से 3 बजे तक राष्ट्रीय और राज्य मार्गों का चक्का जाम किया जाएगा: संयुक्त किसान मोर्चा #FarmerProtestpic.twitter.com/NxbNXI7YF9
તેઓએ કહ્યું કે ખેડૂત એકતા મોર્ચાના ટ્વિટર એકાઉન્ટ અને ટ્રેક્ટર2ટ્વિટર નામના એક ઉપયોગ કર્તાને પ્રતિબંધિત કરાયો છે. સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવે આરોપ લગાવ્યો કે ટ્વિટર એકાઉન્ટની વિરોધમાં કાર્યવાહી સરકારી અધિકારીઓના અનુરોધના આધારે કરાઈ છે. તેઓએ દાવો કર્યો કે આ બજેટમાં કૃષિ ક્ષેત્રના હિસ્સાને ઘટાડી દેવાયો છે.
કેન્દ્રીય બજેટથી કોઈ ફરક નહીં પડેઃ ખેડૂત
દિલ્હીની સીમાઓ પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતનું કહેવું છે કે કૃષિ કાયદા પરત લેવાય તે જરૂરી છે. બજેટની તેના પર કોઈ અસર થશે નહીં, સિંધુ બોર્ડર પર વઘારે ખેડૂતો બજેટથી જાણકરાર નથી. આંદોલન સ્થળ પર ઈન્ટરનેટ નથી અને તેના કારણે તેઓ બજેટથી બેખબર છે.
સરકાર વાતચીતને લઈને તૈયારઃ નાણામંત્રી
નાણામંત્રીએ સોમવારે કહ્યું કે સરકાર 3 કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે વાત કરવા તૈયાર છે કેમકે ચર્ચાથી જ આગળ વધી શકાય છે. 3 કૃષિ કાયદાને પરત લેવા અને એમએસપીને માટે કાયદાકીય ગેરેંટી આપવાની માંગની સાથે હજારો ખેડૂતો 2 મહિનાથી વધારે સમયથી રાજધાનીની સીા પર પ્રદર્શન કરી રહ્યા છે. અમે સમજી શકીએ છીએ કે સીમા પર શા માટે બેઠા છે પણ કોઈ પણ સવાલ છે તો કૃષિ મંત્રીએ વાતચીતની ના પાડી નથી.