સ્થાનિકોમાં કોઈ યુવતી કે મહિલાઓએ પોતાનું પાપ છુપાવવા માટે નવજાતને જન્મ આપ્યા બાદ તેનો ત્યાગ કર્યો હોય તેવી ચર્ચા
કર્મયોગી 2 સોસાયટીમાંથી મળી આવ્યુ નવજાત શિશુનું ભૃણ
સ્થાનિકો દ્વારા પોલીસ ને જાણ કરતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે
નવજાત શિશુના ભૃણનો મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યો
સુરતના પાંડેસરા વિસ્તારમાં નવજાત શિશુનું ભૃણ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોમાં કોઈ યુવતી કે મહિલાઓએ પોતાનું પાપ છુપાવવા માટે નવજાતને જન્મ આપ્યા બાદ તેનો ત્યાગ કર્યો હોય તેવું ચર્ચાઇ રહ્યું છે.
રાજ્યમાં અવાર-નવાર નવજાત શિશુના ભ્રૃણ મળવાની ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે. આ તરફ આજે સુરતમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં નવજાત શિશુનું ભૃણ મળી આવતા હડકંપ મચી ગયો છે. શહેરની કર્મયોગી 2 સોસાયટીમાં નવજાત શિશુનું ભૃણ મળી આવ્યું છે. જેને લઈ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
પાંડેસરામાં મળ્યું નવજાત શિશુનું ભૃણ
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીની વાલ્મીકિ ગલીમાં નવજાત શિશુનું ભ્રૂણ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આજે સવારના સમયે નવજાત શિશુના ભૃણને જોઈ સ્થાનિકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા. સ્થાનિકોને કચરાના ઢગલા વચ્ચે પડેલા નવજાત ભ્રૂણ અંગેની માહિતી પોલીસને આપી હતી. જે બાદમાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
નવજાત શિશુના ભૃણનો મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યો
પાંડેસરામાં નવજાત શિશુનું ભૃણ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક નવજાત શિશુના ભૃણનો મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યો હતો. સ્થાનિક ચર્ચા મુજબ આ ઘટનામાં કોઈ યુવતી કે મહિલાઓએ પોતાનું પાપ છુપાવવા માટે નવજાતને જન્મ આપ્યા બાદ તેનો ત્યાગ કર્યો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.