આ વખતે ચૈત્રી નવરાત્રી પંચકમાં શરૂ થઈ રહી છે. પંચકના 5 દિવસમાં શારીરિક કષ્ટની આશંકાઓ બની રહે છે. પંચક વખતે શુભ કાર્યો કરવામાં નથી આવતા. પરંતુ તમે પૂજા પાઠ કરી શકો છો. જાણો ચૈત્રી નવરાત્રીમાં કઈ રીતે માતા દુર્ગાની પૂજા કરી શકો છો.
પંચકમાં શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રી
5 દિવસ થઈ શકે છે શારીરિક મુશ્કેલીઓ
પંચકમાં નથી કરવામાં આવતા શુભ કાર્યો
હિંદુ ધર્મમાં માતા દુર્ગાને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે અને ભગવાન શિવની અર્ધાગિનીના રૂપમાં તેમની પૂજા કરવામાં આવે છે. માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે દરેક વ્યક્તિ કંઈકને કંઈક પ્રયત્ન કરે છે. પરંતુ નવરાત્રીના સમયે સંપૂર્ણ શ્રદ્ધાથી માતાને યાદ કરવામાં આવે અને તેમની આરાધના કરવામાં આવે તો તે ભક્તો પર પ્રસન્ન થઈને પોતાની કૃપા વરસાવે છે.
આ દિવસથી શરૂ થશે ચૈત્રી નવરાત્રી
થોડા જ સમયમાં ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે. 22 માર્ચ બુધવારથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થશે. આ વર્ષે ચૈત્રી નવરાત્રી પંચકમાં પ્રારંભ થઈ રહી છે.
આ પંચક 19 માર્ચ રવિવારથી શરૂ થઈને 23 માર્ચ ગુરૂવાર સુધી રહેશે. જોકે આ પંચક ચૈત્રી નવરાત્રીના પ્રારંભના 2 દિવસ જ રહેશે. આ પંચક રોગ પંચક છે. માટે શું સાવધાની રાખવી જોઈએ આવો જાણીએ...
ચૈત્રી નવરાત્રીમાં આ રીતે કરો પૂજા
માતા દુર્ગાની આરાધના કરતી વખતે સાચા મન અને સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખો. ચૈત્રી નવરાત્રીના પ્રારંભમાં સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી ઘરના પૂજા સ્થાન પર ગંગાજળ ચડાવો અને તેનું શુદ્ધિકરણ કરી લો. ઘરના મંદિરમાં દિવો પ્રગટાવો.
માતા દુર્ગાને ગંગાજળથી અભિષેક કરો. ત્યાર બાદ માતાને અક્ષત, સિંદૂર, લાલ રંગના પુષ્પ સમર્પિત કરો. પ્રસાદના રૂપમાં ફળ અને મિઠાઈનો ભોગ લગાવો. ધૂપ અને દિવા પ્રગટાવી માતા દુર્ગા ચાલીસાનો પાઠ કરો અને માતાની આરતી કરો. માતાને લગાવવામાં આવેલા ભોગને અન્ય લોકોને પ્રસાદના રૂપમાં આપો.
પૂજા સામગ્રી
માતા દુર્ગાની આરાધના માટે અમુક ખાસ સામગ્રીઓની જરૂર પડે છે જે જરૂરી છે. લાલ ચુંદડી, લાલ વસ્ત્ર, નાળાછડી, શણગારનો સામાન, દિવો, ઘી, ધૂપ, નારિયેળ, અક્ષત, કંકુ, લાલ ફૂલ, માતાની પ્રતિમા, પાન અને સોપારી, લવીંગ, ઈલાયચી, પતાશા કે સાકર, કપૂર, ફળ, મિઠાઈ.