નવરાત્રીમાં અહીં ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળે છે. જો કોઈ અહીં દર્શન કરવા માંગે છે તો સવારે 6થી બપોરે 12 વાગ્યે અને સાંજે 4થી રાત્રે 8 વાગ્યા સુધી દર્શન કરી શકે છે.
બ્રેકઅપ કે ડિવોર્સ માટે અહીં આવે છે લોકો
આ દેવી મંદિરમાં કરે છે પૂજા
નવરાત્રીમાં રહે છે ભક્તોની ભીડ
શું તમે બ્રેકઅપ કરવા માંગો છો અને થઈ નથી શકતું અથવા ડિવોર્સનો કેસ કોર્ટમાં ફસાયેલો છે. પરંતુ તેનું સમાધાન નથી થઈ રહ્યું અથવા ઈચ્છા વગર કોઈ સંબંધમાં ફસાયેલા છો જેનાથી છુટકારો મેળવવા માંગો છો અથવા તમે આ બધી સમસ્યાઓમાંથી બહાર નિકળવું છે તો આ તમારા કામનું છે.
લખનૌઉના નાના કાશીમાં સ્થિત બંદી માતાના મંદિરમાં આ દરેક સમસ્યાઓનું નિવારણ થાય છે. જો તમને અહીં દર્શન કરવા માંગો છો તો ચૌપટિયાના કટરા પહોંચી જાઓ. ચાર ધામ મંદિરની પાછળ જ આ મંદિર છે.
સંબંધમાં મુક્તિ મેળવવા માંગતા લોકો આવે છે અહીં
અહીંના મેનેજમેન્ટ સુશીલા બાજપેઈએ જણાવ્યું કે બંદી માતાના દર્શન કરવાથી લોકો ઈચ્છા વિરૂદ્ધના સંબંધમાંથી બહાર નિકળી જાય છે. સંબંધમાંથી મુક્તિ અપાવે છે માતા બંદી.
બંધનોથી કોઈ મુક્તિ મેળવવા માંગે છે તો અહીં લોકો દર્શન કરે છે. બંધન ગમે તેવું હોય જો તેનાથી ભક્ત પરેશાન છે તો અહીં દર્શન કરવાથી તેમની દરેક સમસ્યાઓનું સમાધાન થાય છે. અહીં મંદિર કટરા રાનીના નામથી ફેમસ છે.
બંદી માતાને ચડાવવામાં આવે છે પાયલ
જ્યારે લોકોની માનતા પુરી થઈ જાય છે તો માતાના પગમાં પાયલ અર્પિત કરે છે અને તેમને સુહાગણના સામાન અર્પિત કરવામાં આવે છે. તે ઉપરાંત તેમને મિઠાઈનો ભોગ લાગાવવામાં આવે છે.
તેમણે જણાવ્યું કે બ્રાહ્મણોમાં એક જાતી છે બાજપેઈ, તેમની કુળદેવી પણ બંદી માતા છે. બાજપેઈ લોકોના ઘરોના કોઈ પણ શુભ કામ અહીં દર્શન કર્યા વગર પુરૂ નથી કરી શકાતું. માતાનું મુખ ઉત્તરમાં છે.
ખૂબ જ પ્રાચીન છે મંદિર
તેમણે કહ્યું કે મંદિર ખૂબ જ પ્રાચીન છે. માતાની પ્રતિમા અહીં કઈ રીતે આવી તે કોઈને ખબર નથી પરંતુ આ મંદિર તેમના માટે પૂર્વજો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. જેમનું નામ બંદી દન બાડપેઈ હતું. તે માતાને મોટા ભક્ત હતા તેમણે અહીં આ મુર્તિની સ્થાપના કરી હતી.
DISLAIMER : અહીં આપેલી માહિતી માત્ર અનુમાન કે અન્ય માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી. અમારી માટે માનવતા જ સર્વોપરી.