જ્યોતિષો દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવરાત્રી પર અલગ અલગ વસ્તુઓનું દાન કરવાથી તમારી દરેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. સાથે જ પુણ્યની પ્રાપ્તિ થાય છે. માટે નવરાત્રીમાં અહીં દર્શાવવામાં આવેલી વસ્તુઓનું દાન જરૂર કરો.
ચૈત્રી નવરાત્રી પર કન્યા પૂજાનું છે ખાસ મહત્વ
કન્યા પૂજામાં જરૂર કરો આ વસ્તુઓનું દાન
ખુશ થઈ માતાજી નહીં થવા દે ધનની કમી
નવરાત્રીનો શુભારંભ 22 માર્ચથી થઈ ચુક્યો છે અને આજે નવરાત્રીનું ત્રીજુ નોરતુ એટલે કે માતા ચંદ્રધંટાનો દિવસ માનવામાં છે. સામાન્ય રીતે નવરાત્રીના પાંચમા દિવસથી કન્યા પૂજા શરૂ થઈ જાય છે. માન્યતા છે કે ઘર પર કન્યા પૂજન કરવા, નાની કન્યાઓને ભોજન વગેરે કરાવવાથી અને દાન આપવાથી માતાજીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
જ્યોતિષો દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવરાત્રી પર અલગ અલગ વસ્તુઓનું દાન કરવાથી તમારી દરેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. સાથે જ પુણ્યની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ કે નવરાત્રી પર કઈ વસ્તુઓનું દાન કરવું ફળદાયી સાબિત થાય છે.
શણગારનો સામાન
માન્યતા છે કે નવરાત્રીના દિવસે માતાજીને શણગારનો સામાન અર્પિત કરવાથી અને નવમીના દિવસે નાની કન્યાઓને લાલ રંગની બંગડીઓ પહેરાવવાથી તમને સારા વરની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ માતાજી સદા તમારા પતિના દીર્ઘાયુની મનોકામનાને પુરી કરે છે.
મીઠાઈ
નવરાત્રીના દિવસે તમે મીઠાઈનું દાન કરો. માન્યતા છે કે નવરાત્રીના કોઈ પણ દિવસે તમે ગરીબો અથવા નાની કન્યાઓને મીઠાઈનું દાન કરો. આમ કરવાથી ઘરમાં સદા સુખ-સમૃદ્ધિનો વાસ બની રહે છે.
ફળનું દાન
ફળનું દાન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ દૂર થાય છે અને ધન સંબંધી મુશ્કેલીઓ પણ દૂર થાય છે. માટે તમે નવરાત્રી પર ફળોનું દાન જરૂર કરો અને ધ્યાન રાખો કે ફળ ખાટ્ટા કે કાચા ન હોય.
કપડાનું દાન
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે કપડાનું દાન કરવાથી ગરીબીનો નાશ થાય છે અને રોગોમાંથી મુક્તિ મળે છે. નવરાત્રીમાં કન્યા પૂજન વખતે તમે કન્યાને વસ્ત્રનું દાન પણ કરી શકો છો. પરંતુ તમે જુના કપડાની જગ્યા પર નવા કપડાનું દાન કરો.
રમકડાનું દાન
નવરાત્રી પર કન્યાઓને રમકડાનું દાન કરવાથી જીવનમાં ખુશીઓ મળે છે. માટે તમે કન્યા પૂજન પર રમકડાનું દાન કરી શકો છો.