25 માર્ચ 2023એ ચૈત્ર મહિનાની વિનાયક ચતુર્થીનું વ્રત છે. દર શુભ કાર્ય પહેલા ગણપતિની પૂજા કરવામાં આવે છે. પરંતુ મહિનામાં બુધવાર ઉપરાંત કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર બાપ્પાની ખાસ પૂજાનું વિધાન છે. કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે ત્યાં જ વિનાયક ચતુર્થી શુક્લ પક્ષમાં આવે છે.
ખાસ ઉપાયથી જલ્દી પ્રસન્ન થશે ગણપતિ
વિનાયક ચતુર્થી ગૌરી પુત્ર ગજાનનના વિનાયક રૂપની ઉપાસના કરનારને ઘરમાં સુખ-સમૃદ્ધિ, આર્થિક સંપન્નતાની સાથે સાથે જ્ઞાન અને વૃદ્ધિ પ્રાપ્તિ થાય છે.
વિનાયક ચતુર્થીના દિવસે અમુક કાસ ઉપાય કરવાથી ગણપતિ જલ્દી પ્રસન્ન થાય છે અને ગ્રહોની પીડાથી પણ મુક્તિ મળે છે. આવો જાણીએ ચૈત્ર વિનાયક ચતુર્થી વ્રતની પૂજાનું મુહૂર્ત, શુભ યોગ, પૂજા વિધિ અને ઉપાય.
ચૈત્ર વિનાયક ચતુર્થી 2023 શુભ યોગ
ચૈત્ર મહિનાની વિનાયક ચતુર્થીના દિવસે રવિ યોગ બની રહ્યો છે. રવિ યોગમાં સૂર્યનો પ્રભાવ વધારે રહે છે. માટે આ યોગને ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. તેમાં સૂર્યની પવિત્ર ઉર્જા ભરપૂર હોવાથી આ યોદમાં કરવામાં આવેલા કાર્ય અનિષ્ટને નષ્ટ કરીને શુભ ફળ પ્રદાન કરે છે.
આ દિવસે રવિ યોદ સવારે 6.20થી બપોરે 1.19 મિનિટ સુધી રહેશે.
ચૈત્ર વિનાયક ચતુર્થી ઉપાય
ધન લાભ
ચૈત્ર શુક્લ પક્ષની ચતુર્થી હિંદૂ નવવર્ષ વિક્રમ સંવત 2080ની પહેલી વિનાયક ચતુર્થી થશે. કહેવાય છે કે ધન પ્રાપ્તિ માટે આ દિવસે ગણપતિને ધરોની માળા અર્પિત કરો.
તેમને ઘી અને ગોળનો ભોગ લગાવો અને પૂજા બાદ આ ઘી અને ગોળ કોઈ ગાયને ખવડાવી દો. આવું 5 વિનાયક ચતુર્થીના દિવસે કરો. તેનાથી આર્થિક તંગી દૂર થશે.
બુદ્ધિમાં વૃદ્ધિ
બાળક જો અભ્યાસમાં નબળું છે અથવા અભ્યાસમાં તેનું મન વારંવાર ભટકી રહ્યું છે તો ચૈત્ર મહિનાની વિનાયક ચતુર્થીના દિવસે બાળકોની ઉંમરની પ્રમાણ ગણેશજીને લાડવાનો ભોગ લગાવો. આ કામ બાળક પાસે કરાવો.
ત્યાર બાદ એક લાડવો સંતાનને ખવડાવો અને બાકીનો ગરીબ બાળકોમાં વહેચી દો. માન્યતા છે તેનાથી એકાગ્રતા અને અભ્યાસમાં રૂચિ વધારે છે. આ દિવસે રવિ યોગ પણ છે એવામાં સૂર્યાષ્ટકનો પાઠ કરો. તેનાથી વૃદ્ધિ અને બળમાં તેજી આવે છે.