ચૈત્રી નવરાત્રિ 2 એપ્રિલથી શરૂ થાય છે અને તેની પૂર્ણાહૂતિ 10 એપ્રિલે થશે. નવરાત્રિના નવ દિવસમાં માં ભગવતીના નવ રૂપની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રિના નવ દિવસમાં માં ભગવતીના નવ રૂપની કરાય છે પૂજા
જીવનમાં સુખ-શાંતિ મેળવવા કરો આ ઉપાય
માં દુર્ગાની પૂજામાં આ વાતનુ ધ્યાન રાખશો તો નોકરીમાં મળશે પ્રમોશન
માંને પ્રસન્ન કરવા કરો આ ઉપાય
માઈભક્તો માંને પ્રસન્ન કરવા માટે વિધિ-વિધાન પૂર્વક આરાધના કરે છે અને ઘરમાં માંના જયનાદ લગાવવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિમાં માંને પ્રસન્ન કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં અમુક ઉપાય જણાવવામાં આવ્યાં છે. આ ઉપાય કરવાથી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધી પ્રાપ્ત થાય છે. આવો તમને આજે જણાવીએ કે અમુક એવા ઉપાય જેને કરવાથી નવરાત્રિ દરમ્યાન તમારા બધા દુ:ખ દૂર થઇ જશે અને ખૂબ નાણાં લાભ થશે.
નોકરીમાં થશે પ્રગતિ
જો તમે નોકરિયાત વર્ગમાં આવો છો અને નોકરીમાં પ્રગતિ કરવી છે તો તેના માટે તમારે પાણીથી ભરેલા કળશમાં લાલ અને પીળુ પુષ્પ બોળીને માતાના ચરણમાં મુકો અને આ કળશને તમારા કાર્યસ્થળ પર ઈશાન દિશામાં મુકી દો અથવા આ જળથી તમે જ્યાં બેસતા હોય તે જગ્યા પવિત્ર કરી લો. આવુ કરવાથી કારકિર્દીમાં પ્રગતિના નવા અવસર મળશે. આ સાથે અધિકારીઓની સાથે તમારા સંબંધો મધુર થશે અને પ્રમોશનના યોગ પણ બનવાના શરૂ થશે.
આ ઉપાયથી તમારી આવક વધશે
નવરાત્રિ દરમ્યાન પ્રતિપદાથી નવમી તિથી સુધી માં ભગવતીની પૂજા દરમ્યાન આ ઉપાય દરરોજ કરો. જેના માટે એક પાનનુ પત્તુ લો અને તેના પર ગુલાબની 2-4 પાંદડીઓ રાખી માં દુર્ગાના ચરણોમાં દરરોજ અર્પણ કરો. આવુ કરવાથી સકારાત્મક ઉર્જાની સાથે આવક વધવાના માર્ગ ખુલશે. આ સાથે નોકરી અને વ્યવસાયમાં ઉન્નતિ થશે.
નોકરીમાં ઈન્ક્રીમેન્ટ મેળવવા માટે કરો આટલું
નોકરીમાં ઈન્ક્રીમેન્ટ મેળવવા માટે એક પાનનુ પત્તુ લઇને તેની બંને તરફ સરસોનુ તેલ લગાવો અને માં દુર્ગા સમક્ષ ચઢાવો. ત્યારબાદ આ પત્તાને ઊંઘતી વખતે તમારા માથાની પાસે રાખીને ઊંઘી જાઓ અને બીજા દિવસે આ પત્તાને કોઈ દુર્ગા મંદિરની પાછળ મુકી દો. આવુ કરવાથી નોકરીમાં પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટના રસ્તા ખુલી જશે. આ સાથે અધિકારીઓની પ્રસન્નતાથી પગારમાં વધારો થવાના યોગ બને છે.