22થી 30 માર્ચ સુધી ચાલનારી નવરાત્રી દરમિયાન ગ્રહોનો એવો મહાસંયોગ બનવા જઇ રહ્યો છે, જે 5 રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે
કન્યા રાશિના જાતકો મીન રાશિમાં 5 ગ્રહોની હાજરી તમને આર્થિક લાભ કરાવી શકે છે
નોકરીમાં પ્રમોશન અને વ્યાપારમાં સફળતાના યોગ છે
મિથુન રાશિના જાતકોના ઘરમાં ખુશીઓ આવવાના એંધાણ
ચૈત્ર નવરાત્રીનો શુભ પર્વ 22 માર્ચથી શરુ થશે. હિન્દુ ધર્મમાં નવરાત્રીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તે સાથે જ્યોતિષ અનુસાર પણ આ નવરાત્રી ખૂબ જ શુભ રહેશે. 22થી 30 માર્ચ સુધી ચાલનારી નવરાત્રી દરમિયાન ગ્રહોનો એવો મહાસંયોગ બનવા જઇ રહ્યો છે, જે 5 રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે.
નવરાત્રિની શરુઆતના દિવસોમાં 5 ગ્રહો- સૂર્ય, ચંદ્ર, ગુરુ, બુધ અને નેપચ્યુન મીન રાશિમાં બીરાજમાન થશે અને તેમની નજર કન્યા રાશિ પર હશે. આ ગ્રહોની યુતિ જ્યોતિષી દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ માનવામાં આવે છે. મીન રાશિમાં આ ગ્રહોનું હોવુ બુધાદિત્ય યોગ, ગજકેસરી યોગ, હંસ યોગ પણ બને છે. તો આવો જાણીએ કે આ ચૈત્ર નવરાત્રી કઇ કઇ રાશિવાળા માટે શુભ છે તેના વિશે જાણીએ...
મિથુનઃ ગ્રહોનો આ મહાસંયોગ મિથુન રાશિના જાતકોના કરિયરમાં નવો લહાવો આપશે. નવી નોકરી, પ્રમોશન મળી શકે છે. વ્યાપાર કરતા હશો તો લાભ થશે. ઘરમાં ખુશીઓ આવવાના એંધાણ છે, શુભ સમાચાર મળી શકે છે.
કર્કઃ કર્કરાશિના જાતકો માટે ગ્રહોનો આ સંયોગ નોકરીમાં પ્રમોશનની ખુશખબર આપી શકે છે. આવકમાં વધારો થવાના યોગ છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવારજનો દ્વારા તમને સહયોગ મળશે, સાથે ભાગ્ય પણ તમારો સાથ આપશે.
કન્યાઃ કન્યા રાશિના જાતકો મીન રાશિમાં 5 ગ્રહોની હાજરી તમને આર્થિક લાભ કરાવી શકે છે. નોકરી-વ્યાપારમાં સફળતા મળશે. કોઇ મહત્વપૂર્ણ કામો પૂર્ણ થશે. કિમતી વસ્તુ ખરીદવાની થઇ શકે છે.
વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિના જાતકોને વ્યાપારમાં મોટો લાભ થઇ શકે છે. કોઇ ડીલ પાક્કી થઇ શકે છે, નોકરી કરનારા જાતકોને પ્રમોશન મળી શકે છે, વિવાહના યોગ બને છે, આર્થિક લાભ થશે. ઇન્વેસ્ટ કરવામાં માટે આ સમય શુભ છે.
મીનઃ મીન રાશિમાં જ સૂર્ય, બુધ, ગુરુ ચંદ્ર અને નેપચ્યુન ગ્રહની યુતિ થઇ રહી છે. જે મીન રાશિના જાતકો માટે ફાયદાકારક છે. સારા પેકેજની નોકરી મળી શકે છે. આવક વધશે. નવા સ્ત્રોતોથી પૈસા આવશે. વ્યાપારમાં મોટો લાભ થશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.