આવતીકાલ એટલે કે 2 એપ્રિલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જાણો ચૈત્ર નવરાત્રી અંગેની અમુક મહત્વની બાબતો અને શુભ મુહૂર્ત
ચૈત્ર નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ
માતાજીનાં 9 સ્વરૂપોની કરવામાં આવે છે પૂજા
30 વર્ષ બાદ શનિવારે થશે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ
શક્તિ ઉપાસનાનાં પર્વ નવરાત્રીને દેશમાં હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસોમાં માતા દુર્ગાનાં 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આખા વર્ષમાં 4 નવરાત્રી આવે છે. જેમાંથી ચૈત્ર અને શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. ચૈત્ર નવરાત્રી આ વર્ષે 2 એપ્રિલ 2022થી શરુ થઈને 11 એપ્રિલ 2022 સુધી છે. ધાર્મિક માન્યતા છે કે નવરાત્રીમાં માતાની પૂજાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
ચૈત્ર નવરાત્રી કળશ સ્થાપના અને મુહૂર્ત
2 એપ્રિલનાં રોજ સવારે 6:10 થી 8:31 સુધી
બપોરે 12:00 થી 12:50 સુધી
ચૈત્ર નવરાત્રી 2022ની મહત્વપૂર્ણ બાબતો
આ વર્ષે ચૈત્ર નવરાત્રી 9 દિવસોની છે અને 9 દિવસોની ચૈત્ર નવરાત્રીને શુભ માનવામાં આવે છે.
આ વર્ષે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ શનિવારથી થવા જઈ રહ્યો છે, એટલા માટે માતાજીનું આગમન ઘોડેસવારી દ્વારા થશે. આ સત્તા પક્ષને સાવધાન રહેવાનો સંદેશ આપે છે.
ચૈત્ર નવરાત્રીનું સમાપન સોમવારનાં રોજ થશે, એટલા માટે મા દુર્ગા ભેંસની સવારી પર પૃથ્વી લોકથી વિદાય લેશે. આ સવારી લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવાની સલાહ આપે છે.
ચૈત્ર મહિનાનાં શુક્લ પક્ષની પ્રતિપદા તારીખ કે નવરાત્રીનાં પહેલા દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ બને છે. આ સવારે 6:10 સુધી રહેશે.
ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે શુભ સમય બપોરે 12:00 થી 12:50 સુધી છે.
ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસથી જ હિંદુ નવવર્ષ કે વિક્રમ સવંતનો પ્રારંભ થાય છે. આ વર્ષે વિક્રમ સવંત 2079નો પ્રારંભ થશે.
30 વર્ષ બાદ એવો મોકો આવ્યો છે કે શનિવારે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને હિંદુ નવવર્ષ પણ શરુ થશે.
ચૈત્ર નવરાત્રીનાં વાસ્તુ ઉપાય
ચૈત્ર નવરાત્રીનાં પહેલા દિવસે ઘટસ્થાપના કરવામાં આવે છે. યાદ રાખો કે આ કળશ સ્થાપના ઇશાન કોણ કે ઉત્તર-પૂર્વ કોણમાં કરવી જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં ઇશાન કોણને પૂજા-પાઠ માટે સૌથી શુભ અને ઉત્તમ માનવામાં આવે છે. આથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.
નવરાત્રીમાં દુર્ગાની અખંડ જ્યોતને અગ્નેય દિશા એટલે કે દક્ષિણ-પૂર્વ કોણમાં રાખો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આવું કરવાથી ઘરનાં દોષો દૂર થાય છે. સદસ્યોની બીમારીઓ દૂર થાય છે અને શત્રુઓ પર વિજય મળે છે.
ચૈત્ર નવરાત્રીનાં 9 દિવસ દરમિયાન રોજ ઘરના મેન ગેટ પર માતા લક્ષ્મીનાં ચરણ અંદરની તરફ આવતા બનાવો. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા ધન-વૈભવ વધારે છે.
નવરાત્રી દરમિયાન વ્યાપારીઓ પોતાના ઓફિસ - દુકાનનાં મેં ગેટ પર એક વાસણમાં પાણી ભરીને પૂર્વ કે ઉત્તર દિશામાં રાખી દો. સાથે જ આ પાણીમાં લાલ અને પીળા રંગના ફૂલ રાખી દો. આમ કર્વાતાહી બીઝનેસમાં સફળતા મળે છે.
ચૈત્ર નવરાત્રીનાં 9 દિવસ પૂરા થયા બાદ ઘરમાં કન્યા પૂજન જરૂર કરો. કન્યાઓને સમ્માનપૂર્વક ભોજન કરાવો અને સામર્થ્યઅનુસાર દક્ષિણા આપો. આમ કરવાથી ઘરમાં વાસ્તુ દોષ દૂર થાય છે.