આ વખતે નવરાત્રીનું વ્રત બુધવાર, 22 માર્ચ 2023 એટલે કે કાલથી શરૂ થશે. નવરાત્રીના સમયે વધારે માતા દુર્ગાના મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે. જેમાં માતા દુર્ગાના શક્તિપીઠનો પણ સમાવેશ થાય છે. માતાના દરેક શક્તિપીઠનું પોતાનું મહત્વ છે.
22 માર્ચ અને બુધવારથી શરૂ થશે ચૈત્રી નવરાત્રી
માતા દુર્ગાના મંદિરમાં ઉમટી પડે છે ભક્તોની ભીડ
જ્વાલાદેવીના આ મંદિરમાં અકબરે પણ ઝૂકાવ્યું હતું શીશ
ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખત નવરાત્રીનું વ્રત બુધવાર, 22 માર્ચ 2023 એટલે કે કાલથી કરવામાં આવશે.
સાથે જ કાલથી હિંદુ નવ સંવત્સર 2080 પણ શરૂ થઈ જશે. નવરાત્રીમાં આખા 9 દિવસ સુધી માતા દુર્ગાના નવ રૂપોની પુજા-ઉપાસના કરવામાં આવે છે. સાથે જ દરેક વર્ષે નવરાત્રી પર માતાજીનું આગમન વિશેષ વાહન પર થાય છે.
પહેલા દિવસે કરવામાં આવે છે અખંડ જ્યોત
માન્યતા છે કે નવરાત્રીના પહેલા દિવસે માતા-દુર્ગા ભગવાન ગણેશ, ભગવાન કાર્તિકેય અને અન્ય દેવી-દેવતાઓની સાથે પૃથ્વીલોક પર આવે છે. નવરાત્રીના પહેલા દિવસ એટલે કે કાલે માતાની સામે અખંડ જ્યોત સ્થાપિત કરવામાં આવશે. નવરાત્રીના આ શુભ સમયમાં માતા દુર્ગાના મંદિરોમાં પણ ભક્તોની ભીડ લાગે છે. તેમાં માતાના શક્તિપીઠ સૌથી મહત્વપૂર્ણ છે.
પુરાણોમાં શક્તિપીઠોનું વિર્ણન
પવિત્ર શક્તિપીઠ આખા ભારતમાં અલગ અલગ સ્થાનો પર સ્થાપિત છે. દેવી પુરાણમાં 51 શક્તિપીઠોનું વર્ણન છે તો દેવી ભાગવતમાં 108 અને દેવી ગીતામાં 72 શક્તિપીઠોનું વર્ણન છે.
ત્યાં જ તન્ત્ર ચૂડામણિમાં 52 શક્તિપીઠ જણાવવામાં આવ્યા છે. દેવી પુરાણના અનુસાર 51 શક્તિપીઠમાંથી અમુક વિદેશમાં પણ સ્થાપિત છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ જ્વાલામુખી મંદિર છે.
ક્યાં છે જ્વાલાજીનું મંદિર?
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં માતા શ્રી જ્વાલાજીનું મંદિર સ્થિત છે. અહીંયા જ્યોતિ સ્વરૂપે માતા ભક્તોને દર્શન આપે છે. માન્યતા અનુસાર જ્વાલાજીમાં માતા સતીની જીભ પડી હતી જેથી અહીંનું નામ જ્વાલા મંદિર પડ્યું.
મંદિરમાં થતાં ચમત્કાર સાંભળીને અકબર સેના સહિત અહીંયા આવ્યા હતા. અકબરે જ્યારે આ જ્યોતિને ઓલાવવા માટે એક નહેરનું નિર્માણ કર્યુ અને સેના પાસે પાણી નાખવાનું શરૂ કર્યુ તો નહેરના પાણીથી જ્યોતિ ઓલવાઇ નહીં.
અકબરે માતા પાસે માંગી માફી
આ બાદ અકબરે માતા પાસેથી માફી માગી અને પૂજા કરી સોનાનું સવા મણનું છત્ર ચડાવ્યું હતું. માતાએ તેના છત્રનો સ્વીકાર ન કર્યો. આ છત્ર સોનાના બદલે બીજી ધાતુમાં બદલાઈ ગયું.
અકબરની ભેટ માતાએ અસ્વીકાર કરી દીધી. ઘણા દિવસો બાદ તે મંદિરમાં રહીને ક્ષમા માગતો રહ્યો. દુખી મને તે પાછો ગયો. કહેવાય છે કે આ ઘટના બાદ અકબરના મનમાં હિન્દુ દેવી-દેવતાઓ માટે શ્રદ્ધા જન્મી હતી.
વૈજ્ઞાનિકોએ કરી તપાસ
અકબરે ચઢાવેલું છત્ર કયા ધાતુમાં બદલાઈ ગયુ તેની તપાસ માટે સાહિઠના દશકામાં તત્કાલીન પ્રધાનમંત્રી પં.જવાહર લાલ નહેરૂની પહેલ પર અહીંયાં વૈજ્ઞાનિકોની એક ટૂકડી પહોંચી. છત્રના એક હિસ્સાનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરાયું તો ચોંકાવનારું પરિણામ મળ્યું.
વૈજ્ઞાનિક પરીક્ષણના આધારે તેને કોઈપણ ધાતુની શ્રેણીમાં માનવામાં ન આવ્યું. જે પણ શ્રદ્ધાળુઓ અહીં આવે છે નહેરને જોયા વિના દર્શન અધૂરા માને છે. આજેપણ છત્ર જ્વાલા મંદિર ભવનમાં રાખેલું છે. મંદિર સાથે નહેરના અવશેષ પણ જોવા મળે છે.
પાંડવોએ અહીં પસાર કર્યો અજ્ઞાતવાસ
સૌથી પહેલા આ મંદિરનું નિર્માણ રાજા ભૂમિ ચંદે કરાવ્યું હતુ. આ બાદ મહારાણા રણજીત સિંહ અને રાજા સંસાર ચંદે 1835માં મંદિરનું નિર્માણ પૂરુ કરાવ્યું હતુ. કહેવાય છે કે પાંડવોનો અજ્ઞાતવાસ સમય અહીંયા વિત્યો હતો. તેમણે પણ માતાની સેવા કરી હતી.
મંદિરની આ કહાની પણ છે પ્રચલિત
જ્વાલા દેવી મંદિરના રહસ્યના પાછળની કહાની એ છે કે માતાજી જ્વાળાના રૂપમાં પ્રગટ થયા હતા અને તે દેવીનો ચમત્કાર જ છે કે પાણીના સંપર્કમાં આવવા પર પણ આ જ્વાળા ઓલવાતી નથી. આ મંદિર ગર્ભગૃહમાં સ્થિત છે.
આ મંદિર 51 શક્તિપીઠોમાંથી એક છે અને હિંદુ ભક્તોનું માનવું છે કે જ્વાળા દેવી મંદિરની તીર્થયાત્રા તેના દરેક કષ્ટોનો અંત કરી દે છે. એવું માનવામાં આવે છે કે દેવી સતીની જીભ અહીં પડી હતી જ્યારે તેમણે પોતાનું બલિદાન કર્યું હતું.
બાદમાં રાજા ભૂમિચંદ કટોચે આ ભવ્ય મંદિર અને નવ જ્વાળાનું નિર્માણ કર્યું. જ્વાળા દેવી દુર્ગાના નવ રૂપો- મહાકાળી, અન્નપૂર્ણા, ચંડી, હિંગલાજ, વિંધ્ય વાસિની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા અને અંજની દેવી પ્રતિનિધિત્વ કરે છે.
પાંચ વખત મંદિરમાં થાય છે આરતી
મંદિરમાં પાંચ વખત આરતી થાય છે. એક મંદિરના કપાટ ખૂલતા જ સૂર્યોદય સાથે સવારે 5 વાગ્યે કરાય છે. બીજી મંગળા આરતી સવારની આરતી બાદ થાય છે. બપોરની આરતી 12 વાગ્યે થાય છે.
આરતી સાથે-સાથે માતાને પ્રસાદ ધરાવાય છે. પછી સંધ્યા આરતી 7 વાગ્યે થાય છે. આ બાદ માતાજીના પોઢવાના સમયે શયન આરતી રાત્રે 9.30 વાગે કરાય છે. માતાની શય્યાને ફૂલો આભૂષણો અને સુંગધિત સામગ્રીઓથી સજાવાય છે.
કઈ રીતે પહોંચી શકાય જ્વાલાદેવી મંદિર?
જ્વાલા મંદિર પહોંચવા માટે નજીકનું એરપોર્ટ કાંગડા પાસે ગગલમાં છે. એરપોર્ટ મંદિરથી લગભગ 45 કિમીના અંતરે છે. રેલ માર્ગ દ્વારા પઠાણકોટથી રાનીતાલ પહોંચી શકાય છે. આગળ મંદિર સુધી પહોંચવા માટે બસ ટેક્સી મળી રહે છે. દિલ્હી શિમલા અને પંજાબના મુખ્ય સ્થાનોથી ડાઈરેક્ટ બસ જ્વાલા મંદિર સુધી લઈ જાય છે.