Chaitra Navratri 2023: માતા સિદ્ધિદાત્રી પોતાના ભક્તો માટે દરેક પ્રકારની સિદ્ધિઓ આપવાની ક્ષમતા ધરાવે છે. દેવી પુરાણોના અનુસાર ભગવાન શિવે માતા સિદ્ધિદાત્રીની કૃપાથી જ આ સિદ્ધિઓને પ્રાપ્ત કરી હતી.
નવરાત્રીના નવમાં દિવસે થાય છે માતા સિદ્ધિદાત્રીની પૂજા
પૂજાથી મળે છે દરેક પ્રકારની સિદ્ધિ
જાણો માતા સિદ્ધિદાત્રીની પૂજાનું મહત્વ
નવરાત્રીના નવમાં દિવસે માતા દુર્ગાની નવમી શક્તિ માતા સિદ્ધિદાત્રીની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીમાં માતા દુર્ગાના નવ રૂપોમાં માતા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ ખૂબ જ મહત્વનું છે.
પ્રતિપદાના દિવસે માતા શૈલપુત્રીના રૂપમાં પૂજન કરીને રોજ એક દેવીનું પૂજન કરતા આઠ સ્વરૂપોનું પૂજન કર્યા બાદ નવમાં દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે. માન્યતા છે કે સંપૂર્ણ વિધિ વિધાનથી માતા સિદ્ધિદાત્રીની આરાધના કરવાથી દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
આઠ પ્રકારની હોય છે સિદ્ધિઓ
સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વ્યક્તિના માટે પછી કંઈ પણ અશંભવ નથી રહેતું. તેમાં બ્રહ્માંડ પર વિજય પ્રાપ્ત કરવાની શક્તિ આવી જાય છે. માર્કન્ડેય પુરાણમાં મહર્ષિ માર્કંડેય અને હનુમાન ચાલીસામાં ગોસ્વામી તુલસીદાસે આઠ પ્રકારની સિદ્ધિઓ જણાવી છે. આ સિદ્ધિઓ છે અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ.
માતા સિદ્ધિદાત્રી આપે છે દરેક પ્રકારની સિદ્ધિ
માતા સિદ્ધિદાત્રી પોતાના ભક્તોને આ દરેક પ્રકારની સિદ્ધિઓ આપવાની ક્ષમતા ધરાવે છે. દેવી પુરાણ અનુસાર, ભગવાન શિવને માતા સિદ્ધિદાત્રીની કૃપાથી જ આ સિદ્ધિઓને પ્રાપ્ત કરી હતી.
તેમની અનુકમ્પાથી જ ભગવાન શિવનું અડધુ શરીર દેવીનું થયું હતું અને તેમના કારણે તે આ લોકમાં 'અર્દ્ધનારીશ્વર'ના નામથી પ્રસિદ્ધિ થયા.
મનુષ્યોના દરેક પ્રકારના દુઃખને કરે છે દૂર
મનુષ્યોના દરેક પ્રકારના દુખોને દૂર કરી તે દેરક પ્રકારના સુખ પ્રદાન કરનાર માતા સિદ્ધિદાત્રીની ચાર ભુજાઓ છે. જેમાં ડાબી બાજુ નીચેના હાથમાં કમળનું ફૂલ છે. તેમનું વાહન તો સિંહ છે પરંતુ કમળના ફૂલ પર બીરાજમાન છે. તેમની કૃપાથી જ મનુષ્ય સુખોનો ભોગ કરતા મોક્ષને પ્રાપ્ત કરી શકે છે.
આ દેવીની કૃપા મેળવનાર ભક્તના મનમાં એવી કોઈ કામના નથી બચતી જેને તે પુરી ન કરવા માંગે છે. વ્યક્તિ સાંસારિક ઈચ્છાઓ અને જરૂરિયાતોથી ઉપર ઉઠીને ખાસ ભોગ શૂન્ય થઈ જાય છે. તેમની ભક્તિનું પરમ પદ મેળવ્યા બાદ વ્યક્તિને કોઈ લાલચ નથી રહેતી.