આજે મંગળવારે 13 એપ્રિલે ચૈત્રિ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. 90 વર્ષ બાદ બની રહેલા શુભ સંયોગમાં પૂજા કરવાથી લાભ મળશે, જાણો સ્થાપનાનું મૂહૂર્ત.
આજે ચૈત્રિ નવરાત્રિનો પ્રારંભ
90 વર્ષ બાદ બનશે શુભ સંયોગ
જાણો કળશ સ્થાપનાની વિધિ, પૂજન સામગ્રી અને મૂહૂર્ત
હિંદુ ધર્મમાં 4 નવરાત્રિ આવે છે. જેમાં મુખ્ય રીતે 2 નવરાત્રિ- ચૈત્રિ નવરાત્રિ અને શારદીય નવરાત્રિ છે. આ વખતે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 13 એપ્રિલે મંગળવારે થઈ રહ્યો છે. ચૈત્ર નવરાત્રિની નવમી તિથિ 21 એપ્રિલે છે. જેમાં વ્રત પારણા 22 એપ્રિલે થશે. આ 9 દિવસમાં વ્રત સાથે માતા દુર્ગાના 9 રૂપની પૂજા કરાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ 9 દિવસ માતાની ઉપાસના કરવાની સાથે ભક્તોની ઈચ્છા પૂરી થાય છે. આમ તો નવરાત્રિના તમામ દિવસોને મહત્વના માનવામાં આવે છે, તેમાં પ્રથમ દિવસ મહત્વનો રહે છે. આ દિવસ માતા રાણીની પૂજાને માટે કળશ સ્થાપના કરવાનો છે. આ વખતે 90 વર્ષ બાદ બનતા શુભ સંયોગમાં ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ મહત્વનો બની રહ્યો છે.
90 વર્ષ બાદ બનશે આ શુભ સંયોગ
નવસંવત્સરના પ્રથમ દિવસે 13 એપ્રિલે સવારે 2. 32 મિનિટથી ગ્રહોના રાજા સૂર્યનો મેષ રાશિમાં ગોચર થઈ રહ્યો છે. સાથે સંવત્સર પ્રતિપદા અને વિષુવત સંક્રાંતિ બંને એક જ દિવસે આવી છે. જ્યોતિષના આધારે આ સ્થિતિનો શુભ સંયોગ 90 વર્ષ બાદ બની રહ્યો છે.
ચૈત્રિ નવરાત્રિએ જાણો કળશ સ્થાપનાનું શુભ મૂહૂર્ત
તારીખ - 13 એપ્રિલ 2021 મંગળવાર
શુભ મૂહૂર્ત - સવારે 5.28 મિનિટથી 10.14 મિનિટ સુધી
સમય - 4 કલાક 15 મિનિટ
અન્ય શુભ મૂહૂર્ત - સવારે 11.56 મિનિટથી બપોરે 12.47 મિનિટ સુધી
આ છે કળશ સ્થાપનાની સરળ વિધિ
ભક્તો સૌથી પહેલા માટીના પહોળા મુખ વાળા વાસણ લે અને તેમાં સપ્ત ધાન્ય વાવે. આ પછી કળશમાં જળ ભરો અને ઉપરના ભાગમાં કલાવા બાંધો. કળશના મુખમાં કેરી કે અશોક એટલે કે આસોપાલવના પાન રાખો. હવે નારિયેળ પર નાડાછડી બાંધો અને નારિયેળને લાલ કપડામાં લપેટીને કળશ પર રાખો અને પાનને વચ્ચે રાખો. આ પછી મા દુર્ગાનું આહ્વાન કરો.