ચૈત્ર નવરાત્રી શરૂ થઇ ગઇ છે. આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે. 9 દિવસ સુધી દેવી માં ની પૂજા અર્ચના કરવામાં આવે છે. પરંતુ કેટલાક એવા પણ કામ છે જેને નવરાત્રીના 9 દિવસ સુધી કરવાનું અશુભ માનવામાં આવે છે.
નવરાત્રીમાં આ કામોને કરવાથી બચવું જોઇએ. આવું ના કરવાથી અશુભ થવાનો ડર રહે છે અને તમારી પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી.
નવરાત્રી દરમિયાન અખંડ જ્યોતિ પણ ચાલુ કરી તો 9 દિવસ દરમિયાન ઘર ખાલી ના રહે. કોઇને કોઇ હંમેશા ઘરમાં રહો.
9 દિવસ દરમિયાન નખ કાપવાથી પણ દૂર રહો. સાફ સફાઇનું વિશેષ ઘ્યાન રાખો. પૂજા સામગ્રી અડતીં પહેલા હાથ જરૂરથી ધોવો.
9 દિવસ સુધી વ્યક્તિએ ડુંગળી અને લસણ ખાવાથી દૂર રહેવું જોઇએ. માંસ અને કોઇ પણ પ્રકારના નશાનું સેવન કરવું જોઇએ નહીં
વ્રત રાખવું હોય તો સ્નાન અને પૂજા બાદ જ ફળ અને ઉપવાસના ભોજનનું સેવન કરો.
આ 9 દિવસમાં વ્યક્તિએ કાળા કપડાં પહેરવાથી દૂર રહેવું જોઇએ.