મહેસાણા: પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિરે ચૈત્રી પૂનમનો મેળો ભરાશે. 28 માર્ચથી 31 માર્ચ દરમ્યાન ચાર દિવસ પારંપરિક ચૈત્રી મેળો ભરાશે. ચૈત્રી મેળાના આયોજન અર્થે બહુચરાજી મુકામે જીલ્લા કલેક્ટરની અદ્યક્ષતામાં વિશેષ બેઠક યોજાઇ હતી. બહુચરાજી મંદિરે મેળા દરમ્યાન 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શને આવવાની સંભાવના છે.
આ બાબતને ધ્યાનમાં રાખી ભાવિક ભક્તો માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવા બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી પીવાનું શુદ્ધ પાણી આરોગ્ય સબંધિત સેવાઓ રહેવા અને જમવા માટેની સગવડો સહીત સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
તેમજ બહુચરાજી મંદિરેમાં બહુચરના ચરણોમાં શીશ ઝૂકાવવા દુર-દુરથી પગપાળા આવતા શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી આશીર્વાદ મેળવી શકે તે માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.