નેશનલ સિલેક્શન કમિટીએ શરમમાં મુકાવુ પડ્યુ જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ રવિવારે ઝારખંડ માટે વિજય હજારે ટ્રોફી ક્વાર્ટર ફાઇનલમાં રમવાથી ઇનકાર કરી દીધો જ્યારે મેઇન સિલેક્ટર એમએસકે પ્રસાદે બે દિવસ પહેલાં જાહેરમાં તેની ઘોષણા કરી હતી.આ ઘટનાથી સ્પષ્ટ થઇ ગયુ છે કે સિલેક્ટર્સ અને સિનિયર ખેલાડીઓ વચ્ચે કોઇ સંવાદ નથી થતો. ખેલાડી પોતાનો કાર્યક્રમ પોતે જ નક્કી કરે છે.
ધોની ગત બે વર્ષથી બેટ્સમેન તરીકે ફૉર્મમાં નથી. તે મહારાષ્ટ્ર સામે ઝારખંડની ક્વાર્ટરફાઇનલ મેચ રમશે તેવી આશા હતી.પરંતુ ઝારખંડના મુખ્ય કોચ રાજીવ કુમારે બેંગ્લોરમાં પત્રકારોને જણાવ્યું કે ''ધોનીને ક્વાર્ટરફાઇલમાં ન રમવાનો નિર્ણય લીધો જ્યારે મેઇન સિલેક્ટરે તે આ મેચનો હિસ્સો હશે તેવી ઘોષણા કરી હતી.''
ઝારખંડના કોચ કુમારે જણાવ્યું કે ''ધોનીને લાગે છે કે આ ચરણમાં ટીમમાં સામેલ થવું યોગ્ય નથી કારણ કે આટલું સારુ પ્રદર્શન કર્યુ છે અને તેમની ગેરહાજરીમાં ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન પણ મેળવ્યું છે. તે ટીમનું સંતુલન બગાડવા નથી માંગતા.'' ધોનીએ આ વર્ષે 22 દિવસ જ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેના કરાણે જે જ્યારે પણ લાંબા બ્રેક પછી રમે છે ત્યારે તે ફૉર્મમાં નથી હોતો.
સવાલ પણ ઉઠાવવામાં આવી રહ્યાં છે કે પ્રસાદે ઘોષણા કરતાં પહેલાં ધોની સાથે એકવાર વાત કરી હતી કે નહી.
..તો શું સિલેક્ટર્સ નથી કરતા ખિલાડીઓ સાથે વાતચીત:
ઉલ્લેખનીય છે કે મહાન બેટ્સમેન સુનીલ ગાવાસ્કરે તાજેતરમાં જ કહ્યું હતું કે ધોનીએ પ્રદર્શન સુધારવા માટે સતત ઘરેલૂ ક્રિકેટ રમવી જોઇએ. એમએસ ધોનીનું ફોર્મ ગત ઘણાં સમયથી ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય બની ગયું છે. તાજેતરમાં અશિયા કપમાં ભારતના પૂર્વ કેપ્ટને 124 બોલમાં ફક્ત 77 રન કર્યા અને તેમાં પણ એક પણ સિક્સર ન ફટકારી.