ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ -અમૂલ ડેરીના હાલના નિયામક મંડળની પાંચ વર્ષના કાર્યકાળની સમય મર્યાદા પૂરી થવા જઈ રહી છે. જેને લઈને ૭૮૦૦ કરોડના કારોબાર પર કબજો મેળવવા ભાજપ કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ચૂકી છે.
અમૂલ ડેરીની મંડળીનો કાર્યકાળ પૂર્ણ થવા આવ્યા
૭૮૦૦ કરોડના કારોબાર પર કબજો મેળવવા ભાજપ કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ શરૂ
૨૦૧૫માં પહેલીવાર બ્લોક પદ્ધતિથી ચૂંટણી યોજાઈ
૧૨૦૦ દૂધ મંડળીના સત્તાધીશો પાસેથી લેટેસ્ટ માહિતીઓ એકઠી કરવામાં આવી રહી છે. હોદ્દેદાર સામે કોઈ ફરિયાદ નોંધાઈ છે કે કેમ જેવી અનેક બાબતો મતદાનને લઈને મહત્વની હોઈને તેની ખરાઈ કરવામાં આવી રહી છે.
૨૦૧૫માં પહેલીવાર બ્લોક પદ્ધતિથી ચૂંટણી યોજાઈ
ડેરી સંઘના ઇતિહાસમાં ૨૦૧૫માં પહેલીવાર બ્લોક પદ્ધતિથી ચૂંટણી યોજાઈ હતી. જેમાં એક મંડળી જે તે તાલુકાના નક્કી કરાયેલા બ્લોકના એક જ ઉમેદવારને મત આપી શકે તેને બ્લોક પદ્ધતિ કહેવાય છે. જો કે અમૂલ ડેરી સંઘના ડિરેક્ટર તેજસભાઈ પટેલ દ્વારા બ્લોક પદ્ધતી રદ કરવાની દાદ માગતી પિટિશન દાખલ છે.
એક વ્યક્તિ ૧૨ ઉમેદવારને મત આપી શકે
જનરલ તાલુકાવાર ચૂંટણી પદ્ધતિ એટલે સંઘના કાર્યક્ષેત્રના દૂધ મંડળીના કોઈપણ એક હોદ્દેદાર જેને મંડળીના નિયામક મંડળે ઠરાવ કરીને મતાધિકારનો સંપૂર્ણ સ્ટે આપ્યો હોય તે વ્યક્તિ નિયામક મંડળના ૧૨ સભ્યને એક એક મત આપી શકે છે, એટલે કે એક વ્યક્તિ ૧૨ ઉમેદવારને મત આપી શકે છે.
વર્તમાન ચેરમેન રામસિંહ પરમાર વર્ષ ૨૦૧૭માં કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ્યા
આગામી ચૂંટણીમાં બ્લોક પદ્ધતિથી કે જનરલ તાલુકાવાર ચૂંટણી પદ્ધતિથી ચૂંટણી યોજાશે કે કેમ તે બાબત અનિર્ણાયક છે. અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેનું અમૂલ પર વર્ચસ્વ છે. અમૂલના વર્તમાન ચેરમેન રામસિંહ પરમાર વર્ષ ૨૦૧૭માં કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ્યા છે. જયારે વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર કોંગ્રેસના બોરસદના વર્તમાન ધારાસભ્ય છે.